SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાભ્યાસનો મહિમા દાખલા તરીકે મોક્ષમાર્ગપ્રકાશક, રત્નકદંડ શ્રાવકાચાર, રાજવાર્તિક, સ્યાદ્વાદ મંજિરી એવા અનેક ગ્રંથો. ૧૭ કોઈ કહે છે ભાઈ અમને બધાં ધર્મો એકસરખા જ છે. ૧) અમે બધાનું તત્ત્વજ્ઞાન વાંચીએ ૨) બધા દેવોને નમસ્કાર કરીએ છીએ ૪ ૩) દુનિયાના બધા સાધુઓને નમસ્કાર કરવા ણમોકાર મંત્રમાં જ નથી કહ્યું કે ? તેનો જવાબ ૧) બધા તત્ત્વજ્ઞાન વાંચવામાં કાંઈ વાંધો નથી. કારણ ઉપર જે ગ્રંથોના નામો આપ્યા છે તે તે ગ્રંથકર્તાઓએ બધાં દર્શનોનો (બધા તત્તવજ્ઞાનોનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. આપણે સાંભળ્યું પણ નથી, એવા અનેક ધર્મોના નામો અને તેમના તત્ત્વજ્ઞાનના ઝીણવટભર્યા વર્ણનો તે ગ્રંથોમાં કરવામાં આવ્યાં છે. તદુપરાંત બધાં ધર્મોનો અભ્યાસ કરી પછી જૈન દર્શન જ કેમ શ્રેષ્ઠ છે તે આધારસહિત બતાવવામાં આવ્યું છે. આવો નિર્ણય કરવા પુરતું લાંબુ આયુષ્ય આપણને દરેકને મળશે જ એવું નથી. ૨) બધાં દેવોને (દેવતાઓને-કુદેવોને-અદેવોને) નમસ્કાર કરવાવાળી વ્યક્તિ પરીક્ષાપ્રધાન હોઇ શકે જ નહીં. સામાન્ય માટલું ખરીદવા આપણે ટકોરો પાડીને લઇએ છીએ પણ ભગવાન બાબત માત્ર તે દેવ છે કે નહીં તેનો વિચાર કર્યા વગર ‘પથ્થર તેટલાં પૂજે દેવ’ કરી સાષ્ટાંગ નમસ્કાર કરીએ છીએ. સાચા-ખોટાનો નિર્ણય કર્યા વગર બધાને એક જ માપદંડથી માપીએ અને બધાને સમાન સમજીએ. તેને જ વિનયમિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. આપણે આ બાબતો લોકરૂઢી મુજબ અને બીજા ધર્મીઓ તરફથી સતત પડેલા સંસ્કારને કારણે વિચાર્યા વગર કરતા હોઇએ. અને વિચાર કરવાવાળાઓને જુનવાણી વિચારવાળા સમજીએ અને પોતાને સર્વધર્મસમભાવ હોવાનો દાવો કરીએ. સાચી રીતે સમભાવ એટલે સામ્યભાવ, એટલે ‘ના રાગ – ના દ્વેષ’ પણ જે બધા દેવ-દેવતાઓને નમન કરે છે તે રાગવશ થઈને જ કરે છે ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy