SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાભ્યાસનો મહિમા રહે છે. તે કારણે અમારી મા બાપની જવાબદારી ઘણી વધી છે. અમારું કર્તવ્ય છે કે જિનવાણીની અમોલ મુડી તેમને મળવી જોઈએ. અંગ્રેજી ભાષામાં પણ જૈન તત્ત્વજ્ઞાન ભાષાંતર રૂપે ઉપલબ્ધ છે. એ અંગ્રેજી મિડિયમના બાળકોનું ભાગ્ય જ છે કે નહીં ? આપણો પહેલો પત્ર વાંચી રેશ્મા બોલી, “માસી, કેટલાંક શબ્દો અઘરા લાગે છે પણ ૩-૪ વાર વાંચ્યાં. આત્મા અને શરીર વિષે મારા વિચારો જુદા જ હતાં, પણ વસ્તુસ્થિતિ જુદી જ છે એમ હવે સમાયું. અલી, લૌકિક જીવનમાં આપણે ઘણાં વિષયોનું જ્ઞાન સંપાદન કરતાં હોઈએ છીએ. રીના તારા સસરાનો-શશીકાન્તભાઈનો દાખલો લે ને. જુદાજુદા વિષયોનું એમનું વાંચન અને ઊંડો અભ્યાસ વખાણવા જેવો છે, વિવિધ ક્ષેત્રોના અત્યાધુનિક ટેકનોલોજી, મેડીકલ સાયન્સ, આયુર્વેદ, ફીલ્મ ટેકનોલોજી અને બીજા ઘણાં વિષયોની તેઓ કેટલીક માહિતી આપે છે. જૈન તત્ત્વજ્ઞાન જાણવા વિષે તેમની જિજ્ઞાસા પણ વખાણવા જેવી છે. આવો Open Mindedness હોય તો કોઈપણ વિષય સમજીને તેના યોગ્યઅયોગ્યતાનો નિર્ણય પણ કરાશે. આચાર્ય અમૃતચંદ્ર પણ પોતાના આત્મખ્યાતિ' ગ્રન્થમાં કહ્યું છે “ય કથfપમૃત્વા તવ દત્રી સન્' એટલે ‘ભાઈ ગમે તે કરી તત્ત્વાભાસ વિષે કુતુહલ-જિજ્ઞાસા કર.” આજે આટલું જ ઘણું, ફરી મળીશું આગળના પત્રમાં. એ જ તમારી બા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy