SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ તસ્વાભ્યાસનો મહિમા પત્રાંક ૩ ૧૨ જુલાઈ ૧૯૯૩ તવાભ્યાસનો મહિમા પ્રિય સૌ. રીના અને મોના, ઘણાં ઘણાં આશિષ, ગયાં બેઉ પત્રોને મળેલો પ્રતિસાદ અને વધુ જાણી લેવાની તમારી રૂચિ અને ઉત્સાહ જોઈ આ પત્ર લખું છું. ઈશ્વર અર્થાત્ પરમેશ્વરનું સ્વરૂપ કેવું હોય છે તે વિષે આપણે પત્ર ક્રમાંક બેમાં વિચાર ક્યો. પ્રત્યેક આત્મા પરમેશ્વર બની શકે તે પણ આપણે પહેલાં જોઈ ગયાં. તે માટે હું આત્મા છું, તે સૌ પહેલા જાણવું જોઈએ. હમણા મનુષ્ય અવસ્થામાં હોવા છતાં શરીર, મન, વાણીથી હું ભિન્ન છું અને મારું એટલે કે શુદ્ધાત્મ સ્વરૂપનું જ્ઞાન શાસ્ત્રાભ્યાસથી મેળવી અને તે પ્રમાણે પ્રાત્મક્ષિક (Practical) કરી આ આત્માનો અનુભવ કરી શકાય છે તેની ૧૦૦ ટકા ખાત્રી-શ્રદ્ધા હોવી જોઈએ. શું મજા છે તે તો જુઓ! આજના જે વિજ્ઞાનયુગની શોધો છે તે ૧૦૦૨૦૦ વર્ષો પૂર્વે વિજ્ઞાનકથારૂપે જન્મી હતી. ત્યારે તે વિજ્ઞાનકથા લેખકોની માત્ર કલ્પનાની ઉડાનો હતી. તે કલ્પનાપરની ઊંડી શ્રદ્ધા પણ તેમને જે પ્રત્યક્ષરૂપમાં લાવી શકે તો આત્મા-પરમાત્મા વિષે જે જે કથન જિનવાણીમાં દિવ્યધ્વનિમાં આવ્યું છે તે તો ત્રિવાર સત્ય છે; તે ઉપરની શ્રદ્ધા ચોકકસ તે તે જીવને ઈશ્વર બનાવી શકશે. જિનેન્દ્રની વાણી જ સત્યનું પ્રતિપાદન કરી શકે છે. બીજી નહીં. કારણ જિનેન્દ્રનું સ્વરૂપ જ વીતરાગી અને સર્વજ્ઞ છે. વીતરાગી એટલે જેમને મોહ, રાગ દ્વેષનો અંશ પણ નથી. તે જુદું કહેશે જ શી રીતે ? અને સર્વજ્ઞ એટલે બધું જાણવાવાળા. જે બધી વાતો જાણે તેમનું જ કથન યથાર્થ હોઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy