SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સાચા દેવનું સ્વરૂપ બધી પર્યાયોને અને પ્રત્યેક પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદોને (આ પર્યાયની શક્તિનું માપ એટલે કે યુનિટ છે) એક સમયે યુગપત્ (એક જ સમયે) પ્રત્યક્ષ જાણવાનું જે સામર્થ્ય તેજ કેવળજ્ઞાન − તે જ અનંતજ્ઞાન, તે જેમને પ્રકટ થયું હોય તેમને સર્વજ્ઞ કહેવાય છે. આ જ્ઞાન અતીંદ્રિય છે. આત્મા જ્ઞાનમય છે. જ્યારે આત્મા આત્મામાં જ લીન થઈ પોતાને પૂર્ણપણે તેમ જાણવા લાગે ત્યારે વિશ્વની બધી વાતો તે જ્ઞાનમાં આવે છે. પછી ભૂત-વર્તમાન કે ભવિષ્ય કાળના અંતરાયો પણ વચમાં આવતાં નથી. ૧૧ પ્રવચનસાર નામના ગ્રંથમા જ્યારે જ્ઞાનની એક સમયની અવસ્થાની શક્તિ કેટલી અનંત છે તે આપણે વાંચીએ છીએ, ત્યારે આવા જ્ઞાનગુણનો ધારક ‘હું', જ્ઞાન જેવા અનંત ગુણોનો પિંડ એવો ‘હું’, તે ‘હું'નો એટલે આત્માનો મહિમા આવ્યા વગર રહેતો નથી. એવા આત્માનું વર્ણન અને તેની પ્રાપ્તિનો, અનુભવવાનો ઉપાય જે જિનેન્દ્ર કથિત આગમોમાં કહ્યો છે, તે આગમોનું જ્ઞાન મેળવવાની ઉત્કંઠા અને ઉત્સાહ ન જાગે તો જ નવાઈ. તત્ત્વાભ્યાસના મહિમા વિષે આપણે આગળના પત્રમાં જેઈશું. વીતરાગતા અને સર્વજ્ઞતા આ શબ્દોનો અર્થ સમાયા પછી ભગવાનનું સ્વરૂપ સમજતા વાર નહીં લાગે. તમને દેવસ્તુતિ યાદ હશે જ કે, ૧) સકલ જ્ઞેય-જ્ઞાયક (સર્વજ્ઞ) તદપિ નિજાનંદ રસલીન (વીતરાગી) અથવા ૨) ‘નિસને રાગ-દ્વેષ જામજિ નીતે’ (જેણે રાગદ્વેષ કાર્યાદિક જીત્યા) ‘સર્વ ના જ્ઞાન નિયા' (આખું જગ જાણી લીધું ) 'सब जीवोंको मोक्षमार्गका निस्पृह हो उपदेश दिया' (સર્વ જીવોને મોક્ષમાર્ગનો નિસ્પૃહ થઇ ઉપદેશ આપ્યો) હિતોપદેશી. પૂર્ણ વીતરાગતા પ્રગટ થયા બાદ જ સર્વજ્ઞતા પ્રગટ થાય છે. આ કેટલો સહજસુંદર નિયમ છે જુ ઓ. એકાદ રાગી-દ્વેષી જીવને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય તો કેટલો અનર્થ થશે તેની કલ્પના પણ કરાય નહીં. આજે દુનિયામાં અધિક Jain Education International વીતરાગી સર્વજ્ઞ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy