SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૬૦ હું મારારૂપે છું, પરરૂપે નથી. પરદ્રવ્યોની મારામાં અને મારી પરદ્રવ્યોમાં નાસ્તિ છે એ સમજતાંની ક્ષણે આપણી દષ્ટિ બધાં પરદ્રવ્યોથી હટી સ્વદ્રવ્ય તરફ આવે છે. દ્રવ્ય તો ઉત્પાદવ્યય ધ્રુવતાથી યુકત છે. દ્રવ્યાંશ અને પર્યાયાંશ એટલે કાયમ રહેનારો એકરૂપ ત્રિકાલી ધ્રુવ અંશ અને પ્રત્યેક સમયે બદલનારો પર્યાયાંશ – એમ દ્રવ્યનાં બે વિભાગ ધ્યાનમાં લઈએ. જે ધ્રુવ અંશ, કયારેય ન બદલનારો, સદૈવ એકસરખો, તેવો ને તેવો જ, તે જ રહેનારો એવો જે સ્વભાવ, ન પલટનારો એટલે અપરિણામી ભાવ, તે હું છું એમ સમજાય છે. આ હું નો એટલે જીવતત્ત્વનો આપણે આશ્રય લેવાનો છે. એટલે પર્યાય અંશ તે હું નથી, એમ પર્યાય તરફ દુર્લક્ષ કરી એટલે કે પર્યાય ગૌણ કરી, જીવતત્ત્વનો આશ્રય લેવાનો છે. એનો જ અર્થ જીવતત્ત્વ ઉપાદેય છે, આશ્રય કરવા યોગ્ય અથવા પરમઉપાદેય છે, એટલા માટે જિનેન્દ્ર ભગવંતોએ પર્યાયતત્ત્વની જુદી ઓળખાણ બતાવી તેમને આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એવા નામો આપ્યાં. પર્યાયમાત્રનું ધ્યાન છોડ્યાવગર જીવતત્વનો આશ્રય થઈ શકશે નહીં. સૌ પ્રથમ મારાથી આ તત્ત્વો ભિન્ન છે અને હું ભિન્ન છું; કારણ મારું લક્ષણ ભિન્ન અને આ તત્ત્વોના લક્ષણો ભિન્ન એ જાણવું જોઈએ. બધાં તત્ત્વોમાં મહાન એવું હું જીવતત્ત્વ છું, એવી પોતાની મહાનતાની જાણ થયા વગર આપણી દષ્ટિ, આપણું ધ્યાન, આપણો ઉપયોગ સ્વ-તરફ ફરશે નહીં. સમ્યક દર્શન (સંવર, નિર્જરા) કે મોક્ષની “સ્વ” કરતાં અધિકતામહાભ્ય-ભાસતું હોય ત્યાં સુધી ઉપયોગ પોતા તરફ નહીં જાય. ઉપયોગ પોતાનામાં લીન થયા વગર સમ્યદર્શન નહીં થાય માટે સમ્યફદર્શન તરફ દૃષ્ટિ કરી સમ્યકદર્શન નહીં થાય. તો તે પર્યાય તરફથી ધ્યાન છોડી પોતા તરફ આપીએ તો સમ્યફદર્શન થશે. કારણ જે વાતનું આપણને મહાભ્ય જણાતું હોય તે તરફ જ વારંવાર ઉપયોગ જાય છે. પરંતુ પર્યાય તરફથી ધ્યાન હટાવવા આ થોડી પછીની પ્રક્રિયા છે. તે પહેલાં આ જે પાંચ પર્યાયતત્ત્વો છે તેમનું યથાયોગ્ય જ્ઞાન અને શ્રદ્ધાન કરી લેવાનું છે. અનાદિથી મિથ્યાદષ્ટિ જીવ આસવ અને બંધ કરતો આવ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy