SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - ૨ છે. તેને સમ્યકત્વ એટલે મોક્ષમાર્ગ એટલે સંવર-નિર્જરા પ્રગટ કરવાની છે અને આ મોક્ષમાર્ગે જઈ મોક્ષ પ્રગટ કરવાનો છે. એનો જ અર્થ સંવરનિર્જરા એ બે તત્ત્વો “એકદેશ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે અને મોક્ષતત્ત્વ એ “પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે.' ફરક સમજમાં આવ્યો કે ? કે જીવતત્ત્વને આશ્રય કરવા યોગ્ય ઉપાદેય કહ્યો છે અને મોક્ષતત્વને પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય કહ્યો છે. મોક્ષતત્ત્વનો આશ્રય લેવાનો ઉપદેશ નથી પણ, મોક્ષ એ પર્યાય પ્રગટ કરવામાં જ આપણું કલ્યાણ છે એમ કહેવામાં આવે છે અને મોક્ષ પર્યાય તરફ જોતાં જોતાં મોક્ષ પ્રગટ થતો નથી પણ પોતાની તરફ જોતાં જોતાં એટલે કે આત્માનુભૂતિમાં લીન થતાં થતાં મોક્ષ પર્યાય પ્રગટ થાય છે. સંવર અને નિર્જરા તત્ત્વોને એકદેશ એટલે આંશિક પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય શા માટે કહ્યાં છે ? તે હવે આપણે વિચારીએ. સંવર-નિર્જરા એટલે મોક્ષમાર્ગ. ઘર તરફ લઈ જનારા રસ્તે ચાલતાં ચાલતાં આપણે ઘર સુધી પહોંચીએ તોપણ ઘરમાં પ્રવેશ કરવા માટે આપણે તે રસ્તાનો ત્યાગ કરવો પડે છે, તે રસ્તા પરનું પગલું રસ્તા પરથી હટાવી ઘરમાં મુકવું પડે છે. તેમ જ્યારે મોક્ષ પર્યાય પ્રગટ થાય છે ત્યારે સંવર-નિર્જરા એ પર્યાયોનો અભાવ કરીને જ પ્રગટ થાય છે, સિવાય અંતિમ ધ્યેય નિશ્ચિત કર્યું ન હોય તો જીવ માર્ગમાં જ સંતુષ્ટ બની બેસી રહેશે. કેવળ સંવર-નિર્જરા પ્રગટ થાય એટલે સમ્યદર્શન પ્રગટ થયું કે મારું કાર્ય પુરૂં થયુ એમ માની જે સંતુષ્ટ થશે તેનું શ્રદ્ધાન વિપરીત હોવાથી એક તો સમ્યદર્શન થશે નહીં અને કદાચ પૂર્વે પ્રગટ થયેલું હશે તો પાછો મિથ્યાદષ્ટિ બનશે. સંવર-નિર્જરા એ મોક્ષનો ઉપાય છે – મોક્ષનો માર્ગ છે. આસવબંધનો અભાવ કરી સંવર-નિર્જરા પ્રગટ થાય છે. સંવર અને નિર્જરાને પ્રગટ કરવા યોગ્ય માનતા જ, એનો અર્થ આસવ અને બંધનો નાશ કરવા યોગ્ય-અભાવ કરવા યોગ્ય-છોડી દેવા યોગ્ય છે અર્થાત આમ્રવ-બંધ એ હેય તત્ત્વો છે તે ધ્યાનમાં આવે છે. શુભ-અશુભ રાગ અને તેને કારણે થનારો બંધ એ ત્યાગવા યોગ્ય છે. સંવર-નિર્જરા એ શુદ્ધ ભાવ છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy