SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - ૨ પત્રાંક ૨૫ ૨૦ ડિસેમ્બર ૧૯૯૫ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - ૨ પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં ઉત્તમ શુભાશિષ, સાત તત્ત્વોનો અભ્યાસ કરતા સૌ પ્રથમ હું પોતે જીવતત્ત્વ છું એવું ધ્યાનમાં લઈને જ બધાં તત્ત્વોનું સ્વરૂપ જાણી લેવું જોઈએ. રામાયણ સાંભળ્યા પછી પણ, “અરે ભાઈ તમે કહો, સીતા તે રામની કોણ હતી?” એવો કોઈ પ્રશ્ન પૂછે તો આપણે કહેશું “મારું કપાળ.” તેમ જ જીવ અજીવ તત્ત્વોનું સ્વરૂપ, તેમના લક્ષણો, તે વિષેની વિપરીત માન્યતાઓ અને યથાયોગ્ય શ્રદ્ધાની આટલી બધી વાતોનો અભ્યાસ કર્યા બાદ પણ જો કોઈ પૂછે કે અમે આટલું બધું ભણ્યા, પણ હવે તમે કહો, અમારે સમાજમાં સંચરતાં શી રીતે વર્તવું ? બાલ-બચ્ચાને સાચવવાં કે નહીં, બીજાને મદદ કરવી કે નહીં ? આ વિચાર મનમાં લાવવાનું એક જ કારણ તે એ કે પોતાને જીવ ન માનતા, મનુષ્યપર્યાય તે હું, એમ માન્યું. આત્મા+શરીર એટલે હું એવાં જીવ અને અજીવતત્ત્વને એક માનવાને કારણે તે વ્યક્તિને આવો પ્રશ્ન ઊભો થયો. પર્યાયગત યોગ્યતાનુસાર તેવાં તેવાં ભાવો આવશે, તોપણ તે જ સમયે તે ભાવોને, તે વિચારોને, જે જાણવાવાળો છે તે હું છું. હું માત્ર જ્ઞાન જ કરી શકું છું, અન્ય કંઈ જ કરી શકતો નથી – એવું જ્ઞાન અને શ્રદ્ધાન થાય તો જ તેણે જીવ-અજીવ તત્વોનું યથાર્થ શ્રદ્ધાન ક્યું એમ કહેવું પડશે. આ વિશ્વમાં અનંત જીવો, અનંતાનંત પુદ્ગલ, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને અસંખ્યાત કાળદ્રવ્યો છે. હું એક ભિન્ન સ્વતંત્ર દ્રવ્ય છું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy