SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૨) પત્રાંક ૨૩ ૨૩ ઓકટોબર ૧૯૯૫ સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૨) પ્રિય સૌ. રીના અને સૌ. મોના ઘણાં ઘણાં શુભાશિષ, પોતાની ઓળખાણ કરી લઈ પોતાને સુખી થવું છે એ જ આપણું ધ્યેય છે. સાચા અર્થે જોઈએ તો હું જ્ઞાન અને આનંદ સ્વભાવથી પરિપૂર્ણ છું એમ જાણવું છે. કારણ સુખ બહારથી મળતું નથી. પોતાને સુખમય જાણતા સુખની અનુભૂતિ થવાની છે. આજસુધી ખોટી કલ્પનાઓ કરી કલ્પનામાં જ સુખ દુઃખ માનતા આવ્યા છીએ. તે ખોટી કલ્પનાઓ અર્થાત વિપરીત માન્યતાઓ કંઈ છે તે આપણે ગયા પત્રથી જોઈ રહ્યાં છીએ. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ પ્રયોજનભૂત સાત તત્ત્વો છે. તે તત્ત્વોનું યથાર્થ એટલે સાચું શ્રદ્ધાન કરવાથી આપણું દુઃખ દૂર થઈ, સાચા શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. પરંતુ અનાદિકાળથી આ જીવે તે તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા કરી છે. સંવરતત્ત્વસંબંધી વિપરીત માન્યતા. આસવોનો અભાવ તેજ સંવર છે. એટલે મોહ-રાગ-દ્વેષનું ઉત્પન્ન ન થવું એ સંવર, અથવા કર્મોનું આવવું થંભી જવું તે સંવર. આ તો નાસ્તિની ભાષા થઈ. અસ્તિની ભાષા એટલે શુદ્ધતા અર્થાત વીતરાગતા એ સંવર છે. તે સમયે અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ થતો હોય છે. એનો અર્થ એવો કે સંવર એટલે આત્મીય સુખનું સંવેદન. કારણ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો અવિનાભાવી સંબંધ છે. અંતર્મગ્ન-આત્મામાં લીન થયેલાં ભાવલિંગી સંતો આત્માના પ્રચુર આનંદમાં મગ્ન હોય છે. પણ જો કોઈ એમ માનતું હોય કે અરેરે, કપડાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy