SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય મિથ્યાદષ્ટિ શુભરાગને સુખકર માને છે. તેનાથી સ્વર્ગાદિક સુખ મળશે માટે તે સારો એમ એને લાગે છે. પરન્તુ બંધનું કારણ સુખદાયક કેમ હોઈ શકે ? આ વિપરીત શ્રદ્ધાનું વર્ણન છહઢાળામાં એમ કર્યું છે ‘‘રાગાદિ પ્રકટ યે દુ:ખદેન તિનહી કો સેવત ગિનત જૈન'' બંધતત્ત્વસંબંધી વિપરીત માન્યતા “શુભ અશુભ બંધકે લ મંઝાર, રતિ અરતિ કરે નિજ પદ વિસાર’' જીવોને જે અનુકૂલ સંયોગ મળે છે તે પુણ્યકર્મના ઉદયથી અને પ્રતિકૂલ સંયોગ પાપ કર્મોના ઉદ્દયથી. જે જીવ કર્મના ઉદયમાં સુખ માને છે તે પુણ્યબંધને સારો માને છે. જેને પુણ્યના ફળમાં મીઠાશ ભાસે તેને પુણ્યનો બંધ પણ સારો જ લાગે અને જે બંધનમાં સુખ માને તેની માન્યતા વિપરીત છે એ કહેવાની ગરજ નથી. ૧૪૬ સંયોગ એ તો પરપદાર્થો છે, તેમનામાં ઈષ્ટ-અનિષ્ટપણાની કલ્પના એ જ મિથ્યાત્વ છે. આસવના કારણે કર્મનો બંધ થાય. આ કર્મોનો ઉદય થાય ત્યારે તેમના ફલસ્વરૂપ આત્મામાં જ્ઞાન, દર્શન, વીર્યની હીનાધિકતા થાય, મોહરાગ-દ્વેષરૂપ પરિણમન થાય છે અને બાહ્ય સુખ દુઃખોનો સંયોગ અને શરીરનો સંયોગ વિગેરે મળે છે. આ બધાનું મૂળ કારણ કર્મ છે. તે તો સૂક્ષ્મ છે, દેખાતું નથી. આ જીવ તે સંયોગનો કર્તા હું છું અથવા ઈશ્વર છે કે ભવિતવ્ય આમ જ છે, એમ માનીને બંધતત્ત્વ સંબંધે વિપરીત માન્યતામાં રહે છે. પણ જુઓ જોઉં, જેની એક તત્ત્વસંબંધીની માન્યતા ભૂલ ભરેલી થાય તેની સાતે તત્ત્વસંબંધીની માન્યતા ભૂલભરેલી થાય જ. બાકીના સંવર, નિર્જરા, મોક્ષ તત્ત્વસંબંધીની વિપરીત માન્યતા આપણે આગળના પત્ર દ્વારા જોઈશું એજ તમારી બા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy