SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય વગર ટાઢ-તડકો-પવનનાં કેટલાં કષ્ટો સહન કરે છે બિચારાં ! તો તે સંવરસંબંધીની વિપરીત માન્યતા છે. જે સંવરને કષ્ટદાયક, કલેશકારક માનશે તે સંવર પ્રગટ કેવી રીતે કરી શકે ? આસવોને જેણે હિતરૂપ માન્યા તે આસવના અભાવને એટલે જ સંવરતત્ત્વને હિતરૂપ માનશે નહીં અને આસવોનો અભાવ પણ કરશે નહીં. સંવરસંબંધી એક વધુ મોટી ભૂલ થાય છે. તે છે આસવ કરી સંવર થવો એમ માનવું. શુભરાગ આસ્રવ છે વ્રત, તપ શુભરાગ છે. મહાવ્રત પણ શુભરાગ છે. પણ તેને જો સંવર અથવા સંવરનું કારણ માને તો તે અયોગ્ય કહેવાશે. જે કારણે આસવ અને બંધ થાય તે જ કારણે સંવર થાય એમ માનવું સર્વથા ભૂલ ભરેલું છે. શુદ્ધોપયોગ એટલે આત્મલીનતા તે સંવર પ્રગટ કરવાનો એટલે આસવોને રોકવાનો એકમેવ ઉપાય છે. પરંતુ આજ સુધી આ જીવને સંવર શું છે તેની જાણ ન હતી અને તે સંવર આનંદમય છે તેનો અનુભવ ન હોવાથી મિથ્યાદષ્ટિ જીવ સંવરને કષ્ટદાયક માને અથવા આસવ (શુભરાગ) કરી સંવર થાય એમ માને છે. ૧૪૮ નિર્જરાતત્વસંબંધી વિપરીત માન્યતા ‘‘ઈચ્છા નિરોધઃ તપઃ’’ તથા ‘“તપસા નિર્જરાચ’’ એમ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે. એટલે કે ઇચ્છાનો નિરોધ અર્થાત ઇચ્છાઓનો અભાવ, ઇચ્છાનું ઉત્પન્ન જ ન થયું તે નિર્જરા છે અને તે સુખમય છે. ઇચ્છાનું ઉત્પન્ન થવું તે જ દુ:ખ છે, આકુલતા છે. જ્યારે પરપદાર્થોને ઈષ્ટ-અનિષ્ટ માને ત્યારે તેમનાં ગ્રહણત્યાગની ઈચ્છા કરે છે. પણ પરપદાર્થ ઈષ્ટ અનિષ્ટ હોતા જ નથી. મિથ્યાત્વને કારણે આ જીવ તેમને એમ માને છે. પરપદાર્થ આપણે આધીન પરિણમતા નથી કારણ તે સ્વતંત્ર વસ્તુઓ છે. કદાચ એકાદ ઈચ્છા પૂર્ણ થાય તોપણ નિરંતર નવી નવી ઈચ્છા થતી જ રહે છે, અને આ જીવ નિરંતર આકુલતાનું વેદન કરતો રહે છે. પાંચ પ્રકારના ઈન્દ્રિયોનાં વિષયોની ઇચ્છા Jain Education International — For Private & Personal Use Only મૂળ કારણ મિથ્યાત્વ www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy