SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ જીવનો ચારિત્રગુણ અને પર્યાયો સંજ્વલન ચારે ચોકડીનો સદ્દભાવ. સ્વરૂપાચરણચારિત્ર - અનંતાનુબંધીનો અભાવ, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજવલન એ ત્રણ ચોકડીનોં સદ્ભાવ (સમ્યક્દર્શનની શરૂઆત) દેશચારિત્ર - અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન બે ચોકડીનો અભાવ, પ્રત્યાખ્યાન અને સંજ્વલન એ બે ચોકડીનો સદ્ભાવ (વ્રતી શ્રાવક) સકલચારિત્ર - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ત્રણ ચોકડીનો અભાવ; સંજ્વલન કષાયોનો સદ્ભાવ (મુનિદશા) યથાખ્યાતચારિત્ર - ચારે ચોકડી અને ઈતર પણ સર્વ નોકષાયોનો પૂર્ણ અભાવ, પૂર્ણ વીતરાગતાની પ્રાપ્તિ. હાસ્યાદિ નવ નોકષાયો છે તે પણ મંદ પડતાં પડતાં યથાવકાશ તેમનો પણ અભાવ થાય છે. તેમનો ક્રમ વિસ્તારમયથી અહીં આપ્યો નથી. હવે આ વિષય અઘરો લાગે તો પણ આગળ ‘ક’ અને ‘ગુણસ્થાન' એ વિષયો શીખતા સમયે તમને બહુ જ સહેલો લાગશે. ઉપરની બધી વાતો સમજાતાં તમારા ધ્યાનમાં એ પણ આવશે કે મિથ્યાત્વ અવસ્થામાં ફકત વ્રતો કે બાહ્ય ત્યાગ કરવાથી અનંતાનુબંધી વિગેરે કષાયોનો અભાવ થતો નથી. તે માટે સમ્યદર્શન પ્રાપ્ત કરી આત્મસ્થિરતા કરવી અને વીતરાગતા પ્રાપ્ત કરવી એ જ એકમેવ ઉપાય છે. ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્મદર્શનમ્' એવી સમ્યક્દર્શનની વ્યાખ્યા છે. એ પ્રયોજનભૂત તત્ત્વો ક્યાં અને તેનું શ્રદ્ધાન એટલે શું એ વાતો આગલા પત્ર દ્વારા આપણે શીખીશું. આજ સુધી પૂરા થયેલા વિષય પર કોઈ શંકા કે પ્રશ્નો હોય તો લખી રાખજો કે જણાવશો તેનો ખુલાસો રૂબરૂમાં કે આગળના પત્રમાં કરીશ. -એ જ તમારી બા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy