SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય આત્મલીનતાનો પુરૂષાર્થ કરવાથી આત્માનુભવ થાય એટલે કે સમ્યક્ત્વ થાય છે અને અનંતાનુબંધી કષાયોનો અભાવ થાય છે. ત્યારે તેને સ્વરૂપાચરણ ચારિત્ર એમ કહે છે. આને કુંદકુંદ આચાર્યે સમ્યક્ત્વાચરણ ચારિત્ર પણ કહ્યું છે. આવા સમ્યક્ત્વી જીવને હજુ ત્રણ ચોકડી કષાયોનો સદ્ભાવ છે. અપ્રત્યાખ્યાન કષાયને કારણે કિંચિત્ પણ ત્યાગ અથવા વ્રતો હોતાં નથી. પ્રત્યાખ્યાનનો અર્થ પૂર્ણ ત્યાગ. જે કષાયો કિંચિત પણ ત્યાગ થવા દેતાં નથી તે અપ્રત્યાખ્યાન કષાયો. આ જીવ વધુ આત્મિક સ્થિરતા કરે ત્યારે અપ્રત્યાખ્યાન કષાયોનો અભાવ થાય છે. ત્યારે તે અવસ્થાને દેશચારિત્ર એમ કહે છે. બે ચોકડીનો અભાવ અને બે ચોકડીનો સદ્ભાવ હોય છે. તે જીવને વ્રતો પાળવાનો ભાવ હોય છે. તે જીવને વ્રતી શ્રાવક એમ કહે છે. પ્રત્યાખ્યાન કષાયોનો સદ્ભાવ હોવાથી બધાં અંતરંગ, બહિરંગ ત્યાગ થઈ શકતાં નથી. મુનિયોગ્ય અંતરંગ સ્થિરતા હોતી નથી. ત્રણ કષાય ચોકડીનો અભાવ થાય ત્યારે સકલચારિત્ર એમ કહેવામાં આવે છે. આ અવસ્થામાં જે સંજ્વલન કષાયો છે તેઓને કારણે અંતરંગમાં પૂર્ણ સ્થિરતા અને પૂર્ણ વીતરાગતા થઈ શકતી નથી. મુનિ અવસ્થામાં ૨૮ મૂલગુણ પાળવાના જે શુભભાવો છે તે આ જ સંજ્વલન કષાયોનું રૂપ છે. અંતરંગ સ્થિરતા વધતી વધતી જ્યારે પૂર્ણતયઃ અંતરંગમા લીન થાય, પૂર્ણ વીતરાગ થાય – તેમ સંજ્વલન કષાયોનો પણ પૂર્ણ અભાવ થઈ યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે. ચારિત્રગુણ પૂર્ણ શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. ઉપરના સંપર્ણ વિવેચન પરથી એમ સમજાય છે કે કષાય કરતાં કરતાં વીતરાગતા ન થતાં કષાયોનો અભાવ કરી વીતરાગતા થાય છે. શુભ અને અશુભ બન્ને રાગો કષાયો જ છે. શુભરાગ કરતાં કરતાં વીતરાગતાની પ્રાપ્તિ નહીં થાય. એવી પૂર્ણ ખાત્રી, વિશ્વાસ, શ્રદ્ધા પ્રથમ હોવી જોઇએ. શુભરાગ તો છૂટતાં નથી પણ વીતરાગતાની વૃદ્ધિ સાથે ઉચ્ચ પ્રકારના શુભરાગો થતાં હોય છે. ઉપરોકત વિવેચન આપણે નીચે જણાવેલ કોષ્ટકમાં ફરીથી વિચારીએ. મિથ્યાચારિત્ર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, Jain Education International ૧૨૦ 1 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy