SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ જીવનો ચારિત્રગુણ અને પર્યાયો આ બધાં કષાયો દુઃખરૂપ છે. કારણ તેઓને લીધે આકુલતા નિર્માણ થાય છે. તેમ જ આગામી દુઃખોનું કારણ છે. કારણ કષાયથી નવો બંધ થાય અને તે બંધનું ફળ સંસાર પરિભ્રમણ છે. જેમને બધા કષાયોનો - બધી ઈચ્છાઓનો-અભાવ થયેલો છે એવાં અરહંત અને સિદ્ધ પૂર્ણ વીતરાગી છે અને તે જ અનંતસુખી છે. સર્વજ્ઞ હોવાથી તેમનાં કેવળજ્ઞાનમાં સંપૂર્ણ લોકાલોકનું ત્રણે કાળનું જ્ઞાન એક સમયમાં ઝળકે છે, પણ વીતરાગી હોવાથી તેઓને રાગદ્વેષ નથી થતાં. તેનાથી ઉલટું આપણું જ્ઞાન અતિ અલ્પ હોય તો પણ તે રાગસહિત એટલે કે કષાયસહિત હોવાથી આપણને દુઃખ જ થાય છે. જેમ કે હાફૂસની કેરી આપણે દેખીએ એટલે તેને જાણવાનું કાર્ય (જ્ઞાનગુણની પર્યાય) થાય તે જ સમયે ચારિત્રગુણ પણ પરિણમન કરતો હોય છે તેનું રાગરૂપે પરિણમન થાય છે કે કેરી મને જોઈએ –તે મારે ખાવી છે એવી ઈચ્છા થાય. જ્યાં સુધી ઈચ્છા પૂર્ણ થતી નથી ત્યાં સુધી આકુલતા એટલે કે દુઃખ થાય છે. ખરું જોતાં દુઃખ ઈચ્છાને કારણે છે – કષાયોનું છે. પરંતુ આપણે પરપદાર્થોને સુખદુઃખનું કારણ માનીને નિરંતર રાગ-દ્વેષ કરીએ છીએ. ઉપર આપણે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ (૧ ચોકડી) ઈત્યાદિ ૪ ચોકડીના નામો જોયાં. હવે સંક્ષેપમાં તેઓનું સ્વરૂપ જોઈશું. કષાયોના મંદ તીવ્રતાનુસાર આ ભેદ નથી પણ તેમની જુદી જ જાતો છે. - મિથ્યાત્વદશામાં જીવને અનંતાનુબંધી કષાય ઈત્યાદિ કષાયોની ચારે ચોકડી હોય છે. તે કારણે અતત્ત્વશ્રદ્ધાન થાય, માટે તે તીવ્રકષાયી છે. તેઓને સત્ય તત્ત્વોને શ્રદ્ધાન થઈ શકતું નથી, આત્માનાં અને ધર્મની ચર્ચામાં તેઓને તીવ્ર અરૂચિ અને ચીઢ હોય છે, જીવ કુદેવ, કુગુરૂ, કુશાસ્ત્રને વશ થાય છે. મિથ્યાત્વ (મિથ્યાદર્શન) અને અનંતાનુબંધી કષાયો એકબીજા સાથે હાથ મેળવે છે. એકબીજાના પૂરક હોય છે. સાચા દેવ-ગુરૂ-શાસ્ત્રનું સ્વરૂપ સમજવાથી, તેઓના ગુણો પ્રત્યે ભકિતથી, પ્રયોજનભૂત તત્ત્વોનાં શ્રવણ, ચિંતન કરવાથી આ કષાય અને મોહ મંદ પડે છે અને જીવ સમ્યફદર્શનને પાત્ર બને છે. એવા જીવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy