SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ જીવના વિશેષ ગુણો અને પર્યાયો અવધિજ્ઞાન થતાં પહેલાં થનારા સામાન્ય ૩) અવધિદર્શન પ્રતિભાસને અવધિદર્શન કહેવાય છે. ૪) કેવલદર્શન - કેવલજ્ઞાન સાથે થનારા (એક જ સમયે થનારા) સામાન્ય પ્રતિભાસને કેવલદર્શન કહેવાય છે. આપણે કહીએ કે જીવનો સ્વભાવ જાણવું અને દેખવું છે, જ્ઞાતાદૃષ્ટા છે. તેમાં દેખવું દર્શન ગુણનું કાર્ય છે અને જાણવું એ જ્ઞાનગુણનું કાર્ય છે. આપણો ઉપયોગ દેખવાનું કામ કરે ત્યારે જાણવાનું કામ કરતો નથી અને ઉપયોગ જાણવામાં લાગી જાય ત્યારે ઉપયોગ દેખવા તરફ હોતો નથી. આપણને જે જ્ઞાનોપયોગ થાય તે દર્શનોપયોગપૂર્વક થાય છે. પણ કેવલી ભગવંતોનો એટલે જ કે અરહંત અને સિદ્ધોનો ઉપયોગ એક જ સમયે જ્ઞાન અને દર્શન તે બેઉમાં હોય છે. કેવલદર્શન અને કૈવલજ્ઞાન યુગપત્ હોય છે. જ્ઞાનગુણની ૮ પર્યાયો છે. તેમાં મિથ્યાજ્ઞાનની ત્રણ પર્યાયોકુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિજ્ઞાન. કુઅવધિજ્ઞાનને વિભંગજ્ઞાન એમ પણ કહે છે. જ્યાં સુધી સમ્યક્દર્શન એટલે આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી આપણે ગમે તેટલું શિખીએ, ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન મેળવીએ તોપણ તેને મિથ્યાજ્ઞાન કહેવાય છે. આત્મજ્ઞાનશૂન્ય એવું જિનવાણીનું જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. આત્મજ્ઞાન થયાં પછીનું બધું જ્ઞાન -આત્માસંબંધે તેમ જ બીજા પદાર્થો વિષેનું જ્ઞાન ‘સમ્યજ્ઞાન' થાય છે. -સમજો, -મિથ્યાદષ્ટિને ઈતિહાસ, ભૂગોળ, ગણિતનું જ્ઞાન છે તેને મિથ્યાજ્ઞાન કહે છે અને તે જ જીવને સમ્યક્દર્શન થયાં બાદ તેના તે ઈતિહાસ, ભૂગોળ અને ગણિતના જ્ઞાનને પણ સમ્યજ્ઞાન કહેવાય છે. કારણ હવે તે જીવને વસ્તુસ્વરૂપનું જ્ઞાન છે સ્વ અને પરનું ભેદવિજ્ઞાન છે અને સ્વનો પ્રત્યક્ષ અનુભવ છે. સુમતિજ્ઞાન, સુશ્રુતજ્ઞાન, સમ્યજ્ઞાનની પાંચ પર્યાયો છે સુઅવધિજ્ઞાન, મન:પર્યય જ્ઞાન અને કેવલજ્ઞાન. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy