SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય અગુરુલઘુત્વ ગુણને કારણે દ્રવ્યનું દ્રવ્યપણે કાયમ રહે છે, એમ આપણે શીખ્યા, એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થતું નથી તે પણ જોયું. તેમ જ દ્રવ્ય ગુણરૂપ પણ થતું નથી અને પર્યાયરૂપ પણ થતું નથી તે પણ ધ્યાનમાં લેવાનું છે. દ્રવ્ય અને ગુણનું સ્વરૂપ જોતાં આપણે શીખ્યાં હતાં કે દ્રવ્ય એક છે, અભેદ છે, અખંડ છે, નિત્ય છે અને ગુણો તે અનંત છે, ભેદરૂપ છે. દ્રવ્યનું સ્વરૂપ સમજવા માટે ગુણો દ્વારા ભેદ કરી સમજાવ્યું છે પણ તેથી દ્રવ્ય ખંડિત થતું નથી. દ્રવ્ય સદૈવ અભેદ અખંડ એક સત્તામાત્ર જ રહે છે. જેમ ભારત દેશ અને તેનાં જુદાં જુદાં પ્રાંતો – મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, બંગાલ, પંજાબ વિગેરે. ભારતનું સ્વરૂપ-વિસ્તાર સમજાવવા માટે ભેદ પાડી સમજાવવામાં આવે છે. પરંતુ જ્યારે ભારત એક દેશ એવો વિચાર કરીએ ત્યારે જુદાજુદા પ્રાંતોના ભેદ મટી જાય છે એટલે કે નજરમાં આવતાં નથી – દષ્ટિમાં આવતાં નથી – ગૌણ થઈ જાય છે. ભેદો હોવાં છતાં ‘ભારત' કહેતાં જ તે ભેદો પરથી આપણી નજર ખસી જાય છે અને એક અખંડ ભારત નજર સામે આવે છે. આત્માનુભવ માટે પણ આવી જ વિધિ છે. દ્રવ્યનું-આત્માનું સ્વરૂપ સમજાવવા માટે ગુણોનું અને પર્યાયોનું સ્વરૂપ વિસ્તારથી કથન કરી કહેવામાં આવે છે. પણ જ્યારે “અભેદ, અખંડ, નિત્ય, એક એવો હું શાયક ધ્રુવ દ્રવ્ય એવું દષ્ટિમાં એટલે કે શ્રદ્ધામાં લેવાય છે ત્યારે ગુણોનો અને પર્યાયોનો ભેદ ગૌણ બની જાય, નજરમાં આવતો નથી. ગુણોનું અને પર્યાયોનું ભેદરૂપ કથન કરવું તેને શાસ્ત્રોમાં વ્યવહાર કહ્યો છે, અને અભેદ એવા આત્માનું ધ્યાન કરતાં આ ભેદ ગૌણ થાય, નજરમાં આવતો નથી માટે વ્યવહારને અભૂતાર્થ એટલે નથી એમ કહ્યો છે. “સમસ્ત વ્યવહાર અભૂતાર્થ છે” આમ કહેવામાં આવો અર્થ અભિપ્રેત છે. દ્રવ્ય જેમ ગુણરૂપ થતું નથી તેમ જ દ્રવ્ય પર્યાયરૂપ પણ થતું નથી. તેમ થાય તો પર્યાય જે સમયમાત્ર રહી નષ્ટ થાય તેવો પ્રસંગ દ્રવ્યની બાબતમાં પણ આવ્યો હોત. દ્રવ્ય અનાદિ અનંત, ધ્રુવ, અખંડ, નિત્ય છે અને પર્યાય પ્રત્યેક સમયે નવી નવી, ઉત્પાદ-વ્યય થનારી છે, અનિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy