SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અગુરુલઘુગુણ છે. દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ ટકી રહે છે તેનો અર્થ હવે આવ્યો ને સમજમાં? તમે કહેશો દ્રવ્યમાં કંઈ જ વૃદ્ધિ થતી નથી કે ઘટ આવતી નથી, ગુણ પણ ઓછાવત્તા થતા નથી તો પછી ગુણોનો વિકાસ કરો કે બીજાઓનાં ગુણો ગ્રહણ કરો એમ શા માટે કહે છે ? આ ઉપચાર કથન છે. દ્રવ્યોમાં કે ગુણોમાં હીનાધિકતા કે વધઘટ થતી નથી પણ પર્યાયમાં ઓછી વસ્તી શક્તિ પ્રકટ થતી હોય છે. જેમ સૂક્ષ્મ જીવોના જ્ઞાનની અત્યંત હીના પર્યાય છે અને અરહંત સિદ્ધોના અનંતજ્ઞાન-કેવલજ્ઞાન એ સર્વોત્કૃષ્ટ પર્યાય પ્રકટ છે; પરન્તુ તોપણ જ્ઞાન ગુણની અપેક્ષાએ જોતાં સર્વ જીવોનો જ્ઞાનગુણ સમાન શક્તિવાળો છે. ગુણોનો વિકાસ કરો એમ કહેતા તે વખતે તે ગુણોમાં જે શક્તિ વિદ્યમાન છે તે પર્યાયમાં પ્રકટ કરો એવો અર્થ લેવો જોઈએ. ગુણોને ગ્રહણ કરો એમ કહેતાં સામેના જીવે જે પર્યાય પ્રકટ કરી છે તેવી શક્તિ મારામાં પણ છે અને તે માટે પ્રકટ કરવાની છે એવા પ્રકારનો અર્થ અભિપ્રેત થાય છે. ગુરૂનો જ્ઞાનગુણ કઈ શિષ્યો ગ્રહણ કરી શકશે નહીં. પણ શિષ્યની જ્ઞાનગુણની પ્રકટ પર્યાય વિકસિત થાય તો શિષ્ય ગુરૂ પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું એમ ઉપચારથી કહેવાય અગુરુલઘુત્વ ગુણ જાણવામાં જે લાભ થયાં તે મુખ્યતઃ આ પ્રમાણેઃ વસ્તુસ્વરૂપનું અને વસ્તુસ્વાતંત્ર્યનું જ્ઞાન થાય. ૨) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ પણ કરી શક્યું નથી એ જૈનસિદ્ધાંત આ ગુણ દ્વારા પણ સિદ્ધ કરાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થતું નથી તેથી અનંત દ્રવ્યોની સત્તા અને સંખ્યા કાયમ રહે છે. ૪) વિશ્વના છએ દ્રવ્યો એકક્ષેત્રમાં રહેતાં છતાં પ્રત્યેક દ્રવ્યનાં પોતાના ગુણધર્મ ટકી રહે છે. જીવને અને શરીરને ભેગો સંબંધ હોય તો પણ જીવ સ્વતંત્ર છે અને પુદ્ગલ સ્વતંત્ર છે. તેમના દ્રવ્ય, ગુણ કે પર્યાય પણ એકબીજામાં પ્રવેશ કરી શકતાં નથી કે એકબીજાનું કાર્ય કરી શકતાં નથી. હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy