SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિ પ્રીતિ રાખવી, રોગીને ઔષધોપચારથી, વૃધ્ધ, જ્ઞાની, બાલ અને તપસ્વીને આહાર, વસ્ત્રાદિ ઇચ્છિત પદાર્થથી શાતા ઉપજાવી વાત્સલ્ય કરે. ધર્મમાં પ્રેમની વૃદ્ધિ કરે. (૮) પાવળે : યદ્યપિ જૈન ધર્મ પોતાના ગુણોથી સ્વયં પ્રભાવક છે, તો પણ દુષ્કર ક્રિયા, વ્રતાચરણ, અભિગ્રહ, કવિત્વશક્તિ, અવધાન, સદ્બોધાદિ દ્વારા સદ્ધર્મને વિશેષ પ્રદીપ્ત કરે. આ બધા સદ્ગુણોનો સ્વીકાર આચાર્યજી સ્વયં કરે છે અને બીજાને કરાવે છે. ચારિત્રના ૮ આચાર ચારિત્રાચાર - ક્રોધાદિ ચારે કષાયોથી અથવા નકાદિ ચાર ગતિથી છોડાવી આત્માને મોક્ષગતિ પ્રાપ્ત કરાવે તે ચારિત્રાચાર, શુધ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં ગમન કરાવે તે ચારિત્રાચાર. पणिहाण जोग जुत्तो, पंच समिइहिं तिहिं गुत्तिहिं । एस चरित्तायारो, अट्ठविह होइ नायव्वा ॥ ॥ ' અર્થ : (૧) ઇર્યા સમિતિ યતના પૂર્વક ચાલે તેના આલંબન, કાળ, માર્ગ અને યતના એમ ૪ પ્રકાર છે. (૧) આલંબન : ઇર્યાસમિતિવંત સાધુને જ્ઞાન, દર્શન અને ચારિત્રનું જ અવલંબન છે. (૨) કાળ : રાત્રે માર્ગતિક્રમણ કરવાથી ત્રસ સ્થાવર જીવોની તથા રાત્રિમાં સદૈવ વરસી રહેલાં સૂક્ષ્મ સ્નેહકાય - પાણીની રક્ષા થઈ શકતી નથી. તેથી સાધુ સૂર્યાસ્ત પહેલાં મકાન, વૃક્ષાદિ જે આશ્રયસ્થાન મળે ત્યાં રહી જાય. રાત્રે લઘુશંકાદિ માટે ગમનાગમન કરવાનો પ્રસંગ પડે ત્યારે વસ્ત્રથી શરીરનું આચ્છાદન કરી, રજોહ૨ણથી ભૂમિનું પ્રમાર્જન કરતો થકો દિવસે જોઈ રાખેલા સ્થાનમાં જઈ પરઠીને તત્કાળ સ્વસ્થાનમાં આવી જાય. (૩) માર્ગ : ઉન્માર્ગમાં ઉધઈ, કીડીના દર અને અસ્પૃશ્ય ભૂમિમાં સચેતપણું તેમ જ કાંટા કાંકરા હોવાથી જીવહિંસા થાય અને શરીરને બાધા પહોંચે તેથી ઉન્માર્ગમાં ગમનાગમન ન કરે. (૪) યતના : યતના એટલે વિવેક, જાગૃતિ તેના ચાર પ્રકાર થાય છેઃ શ્રી જૈન તત્ત્વ સાર ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy