SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) વંશ - શાસ્ત્રના વ્યંજન, સ્વર, ગાથા, અક્ષર, પદ, અનુસ્વાર વિસર્ગ, લિંગ, કાલાદિક જાણે, ન્યૂનાધિક કે વિપરીત પ્રરૂપણા ન કરે. (૭) સત્ય - શાસ્ત્રના યથાતથ્ય અર્થ કરે પણ મનઃકલ્પિત અર્થન કરે. (૮) તલુમ - મૂળપાઠ અને અર્થ સત્ય ભણે, ભણાવે સાંભળે અને સંભળાવે. જ્ઞાનના આચારમાંથી “વિણએ, બહુમાણે અને અણિહવણે” જોતાં, સાધુએ ગુરુ (દીક્ષાચાર્ય, વાચનાચાર્ય કે ઉપાધ્યાય) પાસેથી જ સૂત્ર જ્ઞાનનો અભ્યાસ કરવો એમ સાબિત થાય છે. દર્શનાચારના ૮ આચાર દર્શનાચાર - પદાર્થના ભાવ હૃદયમાં દેખવા તેને દર્શન કહે છે. દર્શનના બે પ્રકાર છે. (૧) સત્ય પદાર્થનું સ્વરૂપ અને અસત્ય પદાર્થનું સ્વરૂપ. એમ જે પદાર્થનું જેવું સ્વરૂપ હોય તેવો જ ભાવ હૃદયમાં દર્શાય તે સમ્યગુ દર્શન” (૨) જેમ કમળાના રોગવાળો શ્વેત પદાર્થને પણ પીળો દેખે તેમ અસત્યને સત્ય અને સત્યને અસત્ય જે દર્શાવે તે “મિથ્યાદર્શન.” આચાર્યજીને મિથ્યાદર્શનનો ક્ષય થયો હોય છે. અને સમ્યગ્દર્શનના નીચે જણાવેલ ૮ દોષોથી તેઓ પોતે દૂર રહે છે અને બીજાના દોષો છોડાવે છે. निस्संकिअ निक्कंखिअ, निर्वितिगिच्छा अमूढदिट्ठिअ । उवबूह थिरीकरणे, वच्छल्ल प्पभावणे अट्ठ॥ સમ્યગદર્શનના ૮ આચાર (૧) નિસંવિય : પોતાની અલ્પમતિથી શાસ્ત્રની કોઈ વાત સમજમાં ન આવે તો તેમાં શંકા કરે નહિ કારણકે સાગરનું પાણી જેમ ગાગરમાં સમાય નહિ તેમ અનંતજ્ઞાની પ્રણિત ગહન તત્ત્વજ્ઞાનને આપણી અલ્પ બુધ્ધિ પહોંચે નહિ. પરંતુ જેમ મૂલ્યવાન રત્નોની કિંમત નિષ્ણાંત ઝવેરી કરી આપે ત્યારે તેની પર વિશ્વાસ બેસે છે, તેવી જ રીતે જિનવચન પર પ્રતીતિ રાખવી. વીતરાગ ભગવાન કદી પણ ન્યૂનાધિક કે અસત્ય પ્રરૂપે નહિ. તેઓએ અનંત કેવળજ્ઞાન માં જે ભાવ દીઠા તે જ પ્રકાશ્યા છે, એવો વિશ્વાસ રાખે. શ્રી જૈન તત્વ સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy