SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાચારનું વર્ણન જ્ઞાનાચાર – ‘શ' = જાણવું એ ધાતુ પરથી જ્ઞાન શબ્દ બન્યો છે. જ્ઞાન વિના અર્થની સિધ્ધિ ન હોય તેથી જ્ઞાન આચરણીય છે. આચાર્યજી પોતે જ્ઞાન સંપન્ન હોય છે અને અન્યને જ્ઞાનવાન બનાવવા પ્રયત્ન કરે છે. શ્રી તીર્થંકર પ્રણિત અને ગણધર રચિત દ્વાદશાંગી શાસ્ત્રને નિમ્નોક્ત ૮ દોષ રહિત પોતે ભણે છે અને બીજાને ભણાવે છે. જ્ઞાનના ૮ આચાર | काले विणए बहुमाणे उवहाणे तह अणिण्हवणे । वंजणे अत्थ तदुभए अविहो नाणमायारो ।। અર્થ : (૧) ને - દિવસના અને રાત્રિના પહેલાં અને છેલ્લા ૪ પહોરમાં કાલિક સૂત્ર અને અન્ય કાળમાં ઉત્કાલિક સૂત્ર 3 ૩૪ અસક્ઝાય ટાળીને યથા યોગ્ય કાળે શાસ્ત્ર પઠન કરે. (૨) વિપIU - જિન શાસનનું મૂળ વિનય છે. જ્ઞાનીઓ કહે ત્યારે “તહર પ્રમાણ” “જી” ઇત્યાદિ વચનોથી આદરપૂર્વક તેમના વચનોનો સ્વીકાર કરે. જ્ઞાનના ઉપકરણોને વિનય પૂર્વક લે અને મૂકે. વિનય પૂર્વક ગ્રહણ કરેલું જ્ઞાન સુપ્રાપ્ય અને ચિરસ્થાયી થાય છે. (૩) વહુમાળે - જ્ઞાનદાતાનો બહુ આદર કરે અને ૩૩ આશાતના ટાળે. (૪) ૩ - શાસ્ત્રપઠન કરતાં પહેલા અને કરી રહ્યાં પછી ઉપધાન તપ (આયંબિલ આદિ તપ) વિધિ સહ કરે. (૫) પાવ - વિદ્યા ગુરુ નાના હોય, પ્રસિધ્ધ ન હોય તો પણ તેમના ગુણોને છુપાવે નહિ. 0 ૩૨ સૂત્રોમાં ૧૧ અંગ ૭ ઉપાંગ (જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા પંચક) ૪ છેદ સૂત્ર અને ૧ ઉત્તરાધ્યયન સૂત્ર એ ૨૩ સૂત્ર કાલિક છે. બાકીના ૫ ઉપાંગ અને ૩ મૂળ ઉલ્કાલિક છે. અને ૩રમું આવશ્યક સૂત્ર “નોકાલિક નોઉત્કાલિક' છે. અર્થાત્ આવશ્યક ભણવામાં કોઈ પ્રકારના સમયનો બાધ નથી. M.C વગેરેમાં પણ સામાયિક પ્રતિકમણ, માળા કરી શકાય છે. આચાર્ય અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy