SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથું મહાવ્રત સૂત્ર - ‘‘મન્ત્રાઓ મેદુળાઓ વેરમાં ।’' અર્થાત્ સર્વ પ્રકારે મૈથુનથી, વિષયોથી વિરમવું ચોથા મહાવ્રતની પાંચ ભાવના : (૧) સ્ત્રી પશુ પંડગ (નપુંસક) સહિત સ્થાનક ભોગવવા નહિ, (૨) સ્ત્રીના અંગોપાંગ નિરખવા નહિ, (૩) પૂર્વના કામભોગ સંભા૨વા નહિ, (૪) સ્ત્રીની કથાવાર્તા કરવી નહિ, (૫) દિન દિન પ્રત્યે સરસ આહાર કરવો નહિ. સ્ત્રી, પશુ, પંડગ એ ત્રણેને ૯ કોટિએ ગુણવાથી ૨૭ ભાંગા ચોથા મહાવ્રતના છે. · પાંચમું મહાવ્રત :- સૂત્ર ‘‘સન્નાએ પાિદાઓ વેરમાં ।'' અર્થાત અલ્પ, બહુ, નાના, મોટા, સચિત્ત, અચિત્ત પરિગ્રહનો ત્રિવિધે ત્યાગ કરવો. પાંચમાં મહાવ્રતની પાંચ ભાવના : (૧) શબ્દ, (૨) રૂપ, (૩) ગંધ, (૪) રસ, (૫) સ્પર્શ એ પાંચે મનોજ્ઞ મળવાથી રાગ ન કરે અને અમનોજ્ઞ મળવાથી દ્વેષ ન કરે, નારાજ ન થાય. અલ્પ, બહુ વગેરે ને ૯ કોટિએ ગુણવાથી ૫૪ ભાંગા પાંચમાં મહાવ્રતના થાય છે. અને તે ૫૪ ને દિવસ આદિ ૬ વડે ગુણતાં ૩૨૪ ભાંગા થાય છે. ■ मूलमेय- महम्मस्स महादोससमुस्सयं, तम्हा मेहुण संसग्गं निग्गंथा वज्जयंति णं ॥ દેશ અ. ૬ ગા ૧૭ અર્થ : મૈથુનનું સેવન મહા અનર્થનુ મૂળ છે. એ વધુમાં વધુ ૯ લાખ સંજ્ઞી મનુષ્ય અને અસંખ્યાત સંમૂર્ચ્છિમ (અસંશી) મનુષ્યની ઘાતરૂપ મહાદોષનું સ્થાન અને પાંચ મહાવ્રતોનું ઘાતક છે. એટલા માટે નિગ્રંથ મુનિઓ મૈથુનની ઇચ્છા થાય તેવા સંસર્ગ પરિચયનો ત્યાગ કરે છે. ૦ શ્રી ‘‘દશવૈકાલિક”ના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે, સંયમ પાળવા અને લજ્જાનું રક્ષણ કરવા જે વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણાદિ સાધુ રાખે છે તે પરિગ્રહરૂપ નથી પણ ધર્મોપકરણ છે. પરંતુ વસ્ત્રાદિ ૫૨ મમત્વભાવ રાખે તો તે પરિગ્રહ કહેવાય છે. ઉપધિ તો બાજુએ રહી પણ શરીર પરનું મમત્વ તે પણ પરિગ્રહ છે. શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only ૭૧ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy