SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩. આચાર્ય ‘આચાર’ એટલે આચરવા યોગ્ય, આચરવા યોગ્ય ક્રિયા એજ હોય છે કે, જેનાથી સુખની પ્રાપ્તિ થઈ શકે. સુખપ્રાપ્તિના કારણભૂત પાંચ પદાર્થ છે. (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર, (૪) તપ, (૫) વીર્ય. આ પાંચ આચારનું જેઓ સમ્યક્ પ્રકારે આચરણ કરે છે તેને આચાર્ય કહેવાય છે. આચાર્યજી ૩૬ ગુણોના ધારક હોય છે. આચાર્યજીના ૩૬ ગુણ गाथा:- पंचिंदिय संवरणो तह नवविह बंभचेर गुत्तिधरो । चउविह कसाय मुक्को, इह अठ्ठारस गुणेहिं संजुत्तो ||१|| पंच महव्वयं जुतो पंचविहायार पालण समत्यो । पंच समिइ तिगुत्तो, इह छत्तीस गुणेहिं गुरु मझं ||२|| અર્થ :- ૫ મહાવ્રત, ૫ આચાર, ૫ સમિતિ, ૩ ગુપ્તિ સહિત, ૫ ઇંદ્રિય વશ કરે, ૯ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે અને ૪ કષાયને ત્યાગે, એ ૩૬ ગુણોથી યુક્ત તે આચાર્યજી છે. પંચ મહાવ્રત પહેલું મહાવ્રત સૂત્રઃ ‘‘સબ્બાઓ પાળાવાયાઓ વેરમાં ।'' અર્થાત પ્રાણીવધથી સર્વથા પ્રકારે નિવર્તે, પ્રાણને ધારણ કરે તે પ્રાણી. તે પ્રાણ ૧૦ પ્રકારનાં છે. (૧) શ્રોતેન્દ્રિયબલપ્રાણ (૨) ચક્ષુરિંદ્રિયબલપ્રાણ (૩) ઘ્રાણેન્દ્રિય બલ પ્રાણ (૪) ૨સનેન્દ્રિયબલપ્રાણ (૫) સ્પર્શેન્દ્રિય બલપ્રાણ (૬) મનબલપ્રાણ (૭) વચનબલપ્રાણ (૮) કાયબલ પ્રાણ (૯) શ્વાસોચ્છવાસ બલપ્રાણ (૧૦) આયુષ્ય બલપ્રાણ • આ દસ પ્રાણોમાંથી કેવળ સ્પર્શેન્દ્રિય ધારણ કરવાવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ પાંચ સ્થાવરમાં ૪ પ્રાણ હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય • જેના બલ (આધાર)થી જીવ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકે તેને ‘બલપ્રાણ' કહે છે. ૬૮ આચાર્ય અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy