SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પુરપલિંગથી સિદ્ધ થાય તે “પુરૂષલિંગ સિધ્ધા”, (૧૦) તેવી જ રીતે નપુંસક લિંગથી સિદ્ધ થાય તે “નપુંસકલિંગ સિધ્ધા” (૧૧) મુહપત્તી રજોહરણ આદિ સાધુનો વેષ ધારણ કરી સિધ્ધ થાય તે “સ્વલિગ સિધ્ધા”, (૧૨) કોઈ અન્ય વર્ષ દુષ્કર તપાદિ કરી વિર્ભાગજ્ઞાની થાય, પછી જૈન શાસનનો અનુરાગી થઈ અજ્ઞાન મટાડી અવધિજ્ઞાની થાય અને પછી વિશુધ્ધ પરિણામે ચડતાં પરમ અવધિ અને પછી કેવળજ્ઞાન પાર્મ અને આયુષ્ય અલ્પ હોવાથી વેષપલટો કરવા પહેલાં જ સિદ્ધ થાય તે “અન્યલિંગ સિધ્ધા”, (૧૩) ગૃહસ્થલિંગમાં ધર્માચરણ કરતાં વિશુધ્ધ પરિણામોની વૃધ્ધિ થતાં કેવળજ્ઞાન થાય અને આયુષ્ય અલ્પ હોવાથી મુનિવેષ ધારણ કર્યા પહેલાં જ મોક્ષે જાય તે “ગૃહસ્થલિંગ સિધ્ધા”, (૧૪) એક સમયમાં એક સિધ્ધ થાય તે “એક સિધ્ધા' (૧૫) એક સમયમાં બે થી માંડીને ૧૦૮ સિધ્ધ થાય તે “અનેક સિધ્ધા.” બીજા પણ ૧૪ પ્રકારે સિધ્ધ થાય છે. (૧) તીર્થની પ્રવૃત્તિમાં એક સમયમાં ૧૦૮ સિધ્ધ થાય, (ર) તીર્થના વિચ્છેદમાં એક સમયમાં ૧૦ સિધ્ધ થાય, (૩) એક સમયમાં તીર્થકર ૨૦ સિધ્ધ થાય, (૪) સામાન્ય કેવળી ૧૦૮ સિધ્ધ થાય, (૫) સ્વયં બુધ્ધ ૧૦૮, (૬) પ્રત્યેક બુધ્ધ ૧૦ સિધ્ધ થાય, (૭) બુધ્ધ બૌધિક ૧૦૮ સિધ્ધ થાય, (૮) સ્વલિંગ પણ ૧૦૮ સિદ્ધ થાય. (૯) અન્યલિંગી ૧૦ સિદ્ધ થાય, (૧૦) ગૃહસ્થલિંગ ૪ સિધ્ધ થાય, (૧૧) સ્ત્રીલિગે ર૦ સિધ્ધ થાય, (૧૨) પુરપલિંગે ૧૦૮ સિધ્ધ થાય, (૧૩) નપુંસક લિંગ એક સમયમાં ૧૦ સિધ્ધ થાય અને (૧૪) બધા એકત્ર મળી એક સમયમાં ૧૦૮ સિધ્ધ થાય. પૂર્વભવ આશ્રિત પહેલી, બીજી ત્રીજી નરકના નીકળ્યા એક સમયમાં ૧૦ સિધ્ધ થાય ચોથી નરકના નીકળ્યા ૪ સિધ્ધ થાય. પૃથ્વી પાણીના નીકળ્યા. ૪ સિધ્ધ થાય. વનસ્પતિના નીકળ્યા ૬ સિધ્ધ થાય. પંચેન્દ્રિય ગભંજ તિર્યંચ, તિર્યંચણી તથા મનુષ્યના મનુષ્ય થયેલાં ૧૦ સિધ્ધ થાય. મનુષ્યણીના આવેલાં ૨૦ સિદ્ધ થાય. ભવનપતિ, વાણવ્યતંર અને જ્યોતિષીના નીકળેલા ૧૦ સિધ્ધ થાય. ભવનપતિ, વાણવ્યંતરની દેવીના નીકળ્યા ૫ સિધ્ધ થાય, જ્યોતિષી દેવીના નીકળ્યા ૨૦ સિધ્ધ થાય. વૈમાનિક દેવના નીકળ્યા ૧૦૮ સિધ્ધ થાય અને વૈમનિક દેવીના નીકળ્યા ર૦ સિધ્ધ થાય. * નવમા સુવિધિનાથજી અને સત્તરમા કુંથુનાથજી સુધી વચ્ચેનાં આંતરાંમાં તીર્થ 'વિચ્છેદ ગયું, તે વખતે સિધ્ધ થયા તે અતીર્થ સિધ્ધ જાણવા. મરૂદેવી માતા પણ અતીર્થ સિધ્ધામાં આવે. સિદ્ધ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy