SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિકારી મનનું અવલોકન કરીને જ તૃપ્ત થઇ જાય છે. બારમા દેવલાકથી ઉપરના દેવોને ભોગની ઇચ્છા થતી નથી. આ એકેક ઇન્દ્રને ૭ પ્રકારની અણિકા (સેના) છે. (૧) ગંધર્વ (૨) નાટક (૩) હસ્તી (૪) ઘોડા (૫) રથ (૬) પાયદળ (૭) વૃષભ. જેમ અહીં રાજાઓને ઉમરાવ હોય છે તેમ ૬૪ ઇંદ્રોને સામાનિક દેવ હોય છે. પુરોહિતની સમાન પ્રત્યેક ઇન્દ્રને ત્રાયત્રિંશક દેવો હોય છે. અંગરક્ષક સમાન આત્મરક્ષક દેવો હોય છે. સલાહકાર મંત્રીની જેમ આપ્યંતર પરિષદના દેવ હોય છે. તેઓ ઇન્દ્ર જ્યારે બોલાવે છે ત્યારે જ જાય છે. કામદારો સમાન શ્રેષ્ઠ કામ કરનાર મધ્યમ પરિષદના દેવો હોય છે. તેઓ ઇન્દ્રના તેડાવ્યા પણ જાય અને વણતેડાવ્યા પણ જાય. કિંકરની પેઠે સઘળાં કામ કરનારા બાહ્ય પરિષદના દેવો હોય છે. તેઓ વણતેડાવ્યાં આવે છે અને પોતપોતાનાં કાર્યમાં તત્પર રહે છે. દ્વારપાળ સમાન ૪ લોકપાળ દેવ હોય છે. સેના સમાન સાત અણિકાના દેવ હોય છે. તેઓ પોતપોતાના અધિકાર પ્રમાણે હાથી. ઘોડા. રથ. પાયદળ આદિનાં રૂપ બનાવી યથોચિત્ત રીતે ઇન્દ્રના કામમાં આવે છે. ગંધર્વોની અણિકાના દેવ મધુર ગાનતાન કરે છે. નાટક અણિકાના દેવ મનોરમ નૃત્ય કરે છે. આભિયોગિક દેવ ઇન્દ્રના આદેશથી કાર્ય કરવામાં તત્પર રહે છે. અને પ્રકીર્ણ દેવ વિમાનોમાં રહેનારા પ્રજા સમાન હોય છે. દરેક ઇન્દ્રોનું આયુષ્ય ઉત્કૃષ્ટ હોય છે આ પ્રમાણે દેવતા પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળ ભોગવતા થકા સુખથી કાલાતિક્રમણ કરે છે. જેમ મનુષ્યમાં ચંડાલ આદિ નીચ જાતિના મનુષ્યો હોય છે, તેમ દેવોમાં કુરૂપ, અશુભ ક્રિયા કરનારા મિથ્યાત્વી અને અજ્ઞાની ‘કિક્વિત્રિક’ નામે દેવો ત્રણ પ્રકારના હોય છે. પહેલા બીજા દેવલોકમાં ૩ પલ્યોપમના આયુષ્યવાળા, ચોથામાં ૩ સાગર આયુષ્યવાળા અને છઠ્ઠા દેવલોકમાં ૧૩ સાગરના આયુષ્યવાળા કિક્વિષિક હોય છે. તેઓ અનુક્રમે ત્રણ પલિયા, ત્રણ સાગરિયા, અને તેર સાગરિયા કહેવાય છે. દેવ, ગુરુ, ધર્મની નિંદા કરનાર અને તપ સંયમની ચોરી કરનારા મરીને ફિલ્વિષિક દેવ થાય છે. સંખ્યાત યોજનના દેવસ્થાનમાં સંખ્યાતી અને અસંખ્યાત યોજનના દેવસ્થાનમાં અસંખ્યાતી દેવોને ઉત્પન્ન થવાની ‘ઉત્પાત શય્યા' છે. ઉપર દેવ દુષ્ય (વસ્ત્ર) ઢંકાયેલું રહે છે. તેમાં પુણ્યાત્માઓ ઉત્પન્ન થાય છે ત્યારે તે શય્યા ૬૦ Jain Education International સિદ્ધ અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy