SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) સારા કુળની સ્ત્રી તે વેશ્યા સરખી થશે. (૮) પિતાની આજ્ઞા પુત્ર ન પાળે. (૯) શિષ્ય ગુરુની નિંદા કરે. (૧૦) કુશીલ મનુષ્યો સુખી થાય. (૧૧) સુશીલ મનુષ્યો દુઃખી થાય, (૧૨) સાપ વીંછી, ડાંસ, માંકડ આદિ શુદ્ર જીવોની ઉત્પત્તિ અધિક થાય. (૧૩) દુકાળ ઘણાં પડે. (૧૪) બ્રાહ્મણ લોભી બને. (૧૫) હિંસાધર્મ પ્રવર્તકોની સંખ્યા વધે. (૧૬) એક મતમાંથી અનેક મતમતાંતર ચાલે. (૧૭) મિથ્યાત્વની વૃદ્ધિ થાય. (૧૮) દેવતાનાં દર્શન દુર્લભ થાય. (૧૯) વૈતાઢ્ય પર્વતના વિઘાઘરોની વિદ્યાનો પ્રભાવ ઓછો થાય. (૨૦) દૂધ વગેરે સરસ વસ્તુઓનું સત્વ ઘટી જાય. (૨૧) પશુઓ અલ્પાયુષી થાય. (૨૨) પાખંડીઓની પૂજા વધે. (૨૩) સાધુઓને ચાતુર્માસ કરવા જેવા ક્ષેત્રો ઘટી જાય. (૨૪) સાધુઓની ૧૨ અને શ્રાવકોની ૧૧ પ્રતિમાના ધારક રહે નહિ. (રપ) ગુરુ શિષ્યને ભણાવે નહીં. (ર૬) શિષ્ય અવિનીત અને કલેશી થાય. (૨૭) અધર્મી, કદાગ્રહી ધૂર્ત દગાબાજ એવા મનુષ્યોનો વધારો હોય. (૨૮) ધર્માત્મા સુશીલ, સરળ સ્વભાવવાળાં મનુષ્ય થોડાં હોય. (૨૯) ઉસૂત્ર પ્રરૂપક, લોકોને ભ્રમમાં ફસાવનાર એવા મનુષ્યો ધર્સીજન નામ ધરાવે. (૩૦) આચાર્યો અલગ અલગ સંપ્રદાય સ્થાપી આપસ્થાપના પરઉત્થાપના કરે. (૩૧) પ્લેચ્છ રાજા ઘણાં થાય. (૩૨) લોકોનો ધર્મપ્રેમ ઘટતો જાય. આ પ્રમાણે ક્રમશઃ હાની થતાં થતાં પાંચમાં આરાના છેલ્લા દિવસે શક્રેન્દ્રનું આસન ચલાયમાન થાય છે. ત્યારે ઇન્દ્ર કહે છે “ હે મનુષ્યો કાલે છઠ્ઠો આરો બેસવાનો છે. માટે સાવધાન થાઓ ધર્મ આરાધના કરી લો.” આ સાંભળી ઉત્તમ આત્માઓ મમત્વને ત્યાગી અનશનવ્રત આરાધી સમાધિસ્થ બનશે. પછી મહાસંવર્તક વાયરો વાસે. તેને લીધે વૈતાઢય પર્વત, ઋષભકૂટ, લવણ સમુદ્રની ખાડી, ગંગા અને સિંધુ નદી એ પાંચ સિવાયના બધા પર્વતો, કિલ્લા, મહેલ, ઘર વિગેરે જમીનદોસ્ત થઈ જશે. પહેલે પહોરે જૈનધર્મ. બીજે પહોરે ૩૬૩ પાખંડીના મત, ત્રીજે પહોરે રાજનીતિ અને ચોથે પહોરે બાદર અગ્નિકાય વિચ્છેદ થશે. છઠ્ઠો આરો એકાન્ત દુઃખમય હોય છે. ગમે તેટલું ખાય છતાં તૃપ્તિ થતી નથી. દિવસે પુષ્કળ ગરમી અને રાત્રે અતિશય ઠંડી પડવાથી મનુષ્યો બિલ (ગુફાની) બહાર નીકળી શકતા નથી. પરંતુ સવાર સાંજ બે ઘડી બહાર નીકળે છે. ગંગા સિંધુ સર્પાકારે વાંકીચૂકી ગતિએ વહેતી હોય છે. ગાડાના બે ચીલા વચ્ચે અંતર રહે તેટલો પહોળો, પૈડાની ધરી ડૂબે તેટલો ઊંડો નદીનો પ્રવાહ રહે છે તેમાં મચ્છ-કચ્છ ઘણાં હોય છે. તે મનુષ્યો પકડીને નદીની શ્રી જૈન તત્વ સાર પિ૩ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy