SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય જઘન્ય ૧૦, ૦૦૦ વર્ષનું અને ઉત્કૃષ્ટ ૧॥ પલ્યોપમનું છે. અને દેવીનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું અને ઉત્કૃષ્ટ પોણા પલ્યનું છે. અને ઉત્તરના નવનિકાયના બધાય ઇન્દ્રને પણ જુદા જુદા ૬-૬ હજાર સામાનિક દેવો છે. ૨૪-૨૪ હજાર આત્મરક્ષક દેવો છે. ૫-૫ અગ્રમહિષી (ઇન્દ્રાણી)ઓ છે, એક એકને ૫-૫ હજારનો પરિવાર છે. ૭ અણિકા (સેના) છે. ૩ પરિષદો છે. આત્યંતર પરિષદના ૫૦,૦૦૦ દેવો, મધ્ય પરિષદના ૬૦,૦૦૦ દેવો, બાહ્ય પરિષદના ૭૦,૦૦૦ દેવો છે. તે જ પ્રમાણે આત્યંતર પરિષદની ૨૨૫ દેવીઓ, મધ્ય પરિષદની ૨૦૦ દેવીઓ, બાહ્ય પરિષદની ૧૭૫ દેવીઓ છે. નવનિકાય જાતિના દેવતાઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૨ પલ્યોપમમાં થોડુંક ઓછું છે. દેવીઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમમાં કંઈક ઓછું છે. દસેય આંતરાના દક્ષિણ દિશાનાં બધાં મળીને કુલ ૪,૦૬,૦૦,000 ભવનો હોય છે અને ઉત્તર વિભાગના બધા મળીને કુલ ભવન ૩,૬૬,૦૦,૦૦૦ હોય છે. એમાંથી નાનામાં નાનું ભવન તો જંબુદ્રીપ પ્રમાણે (એક લાખ યોજન) છે. મધ્ય ભવન અઢીદ્વીપ પ્રમાણે (૪૫લાખ યોજનનું) છે અને મોટામાં મોટું ભવન અસંખ્ય દ્વીપ સમુદ્ર પ્રમાણે (અસંખ્યાત યોજનનું) છે. બધાં ભવનો અંદરથી ચોખંડાકાર, બહારથી ગોલાકાર, રત્નજડિત, મહાપ્રકાશવાળાં, અને સર્વ સુખ સામગ્રીઓથી પરિપૂર્ણ છે. સંખ્યાત યોજનનાં ભવનમાં સંખ્યાત દેવ-દેવીઓ અને અસંખ્યાતા યોજનના ભવનમાં અસંખ્યાત દેવ-દેવીઓ છે. કુમારો (બાળકો)ની જેમ ક્રીડા કરતાં હોવાથી કુમારો કહેવાય છે. આસો માસે અંતરનાં તાર, જોડી અરિહંતમાં, તુંહિ! તુંહિ! રટો દિનરાત, ખરેખરી ખંતમાં; આપી ઔષધિ અમૃત તુલ્ય, કરે ભવ અંતને, કહે ‘સંતનો શિષ્ય' સદાય, સેવો એવા સંતને. Jain Education International શ્રી જૈન તત્ત્વ સાર For Private & Personal Use Only ૪૩ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy