SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ લાખ ભવન છે. જેમના ભૂતેન્દ્રજી માલિક છે. ત્રીજા આંતરામાં સુવર્ણકુમાર નામના દેવો ૨હે છે. એમના દક્ષિણ વિભાગમાં ૩૮ લાખ ભવનો છે. જેના માલિક વેણુઇન્દ્ર છે અને ઉત્તર વિભાગમાં ૩૪ લાખ ભવન છે, જેમના માલિક વેણુદેવેન્દ્ર છે. ચોથા આંતરામાં વિદ્યુતકુમાર જાતિના દેવતા રહે છે. દક્ષિણના ઇન્દ્ર હરિકાંત છે અને ઉત્તરના હરિશેખરેન્દ્ર છે. પાંચમાં આંતરામાં અગ્નિકુમાર જાતિના દેવતાં રહે છે. દક્ષિણના અગ્નિ શેખરેન્દ્ર છે અને ઉત્તરના અગ્નિ માણવેન્દ્ર છે. છઠ્ઠા આંતરામાં દ્વીપકુમાર જાતિના દેવતા રહે છે. દક્ષિણના પૂરણેન્દ્ર છે અને ઉત્તરના વિશિષ્યેન્દ્ર છે. સાતમાં આંતરામાં ઉદધિકુમાર જાતિના દેવતા રહે છે. દક્ષિણના લકાંતેન્દ્ર છે અને ઉત્તરના જલપ્રભેન્દ્ર છે. આઠમાં આંતરામાં દિશાકુમાર જાતિના દેવો રહે છે. દક્ષિણના અમિતેન્દ્ર છે અને ઉત્તરના અમિતવહનેન્દ્ર છે નવમા આંતરામાં વાયુકુમાર જાતિના દેવો રહે છે. દક્ષિણના બલવકેન્દ્ર છે અને ઉત્તરના પ્રભજનેન્દ્ર છે. દસમા આંતરામાં સ્તનિતકુમાર જાતિના દેવો રહે છે. દક્ષિણના ઘોષેન્દ્ર છે અને ઉત્તરના મહાઘોષેન્દ્ર છે. એમાં ચોથા વિદ્યુતકુમારથી સ્તનિતકુમાર સુધી દક્ષિણ વિભાગમાં પ્રત્યેકનાં જુદાં જુદાં ૪૦-૪૦ લાખ અને ઉત્તરમાં ૩૫૩૫ લાખ ભવનો છે. બીજા નાગકુમારથી સ્તનિતકુમાર સુધીના દેવોને નવનિકાય (નવજાતિ)ના દેવો કહે છે. દક્ષિણના નવનિકાયના બધા ઇન્દ્રોને જુદાં જુદાં ૬-૬ હજા૨ સામાનિક દેવો છે. ૨૪-૨૪ હજાર આત્મ રક્ષક દેવો છે. ૫-૫ અગ્રમહિષી (ઇન્દ્રાણી)ઓ છે. અને એક એકને ૫-૫ હજારનો પરિવાર છે સાત-સાત અણિકા છે. ત્રણ-ત્રણ પરિષદો છે. આત્યંતર પરિષદના ૬૦,૦૦૦ દેવો, મધ્ય પરિષદના ૭૦,૦૦૦ દેવો, બાહ્ય પરિષદના ૮૦,૦૦૦ દેવો છે. તે જ પ્રમાણે, આત્યંતર પરિષદની ૧૭૫ દેવીઓ, મધ્ય પરિષદની ૧૫૦ દેવીઓ અને બાહ્ય પરિષદની ૧૨૫ દેવીઓ છે. એ નવજાતિના દેવતાઓનું સિદ્ધ અધિકાર ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy