SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ માનવભવની સાર્થકતાઃ સમ્યક્તની પ્રાપ્તિ માનવ ભવ દેવો કરતા પણ શ્રેષ્ઠ છે, કેમકે દેવો તપ, વ્રત નિયમ, . પ્રત્યાખ્યાન અંગીકાર કરી શકતા નથી; તેઓ માત્ર પુણ્યની કમાણી ખાય છે. તે ઉપરાંત દેવો ત્યાંથી ચ્યવીને સીધા મોક્ષમાં જઈ શકતા નથી. મોક્ષમાં જવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે એક માત્ર મનુષ્ય ભવજ છે; તેથી જ માનવભવ શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે. માનવ ભવ પ્રાપ્ત થવા સાથે આર્ય ક્ષેત્ર, ઉચ્ચ કુળ, તંદુરસ્ત શરીર, કેવળી પ્રરૂપિત ધર્મ અને પંચ મહાવ્રત ધારી સાધુ-સાધ્વીજીઓનો સુયોગ પ્રાપ્ત થવો દુર્લભ-અતિ દુર્લભ છે. આવો અતિ દુર્લભ યોગ આપણને સૌને પ્રાપ્ત થયેલ છે. આવી મહાદુર્લભ અનુકુળતાઓનો હૈય, જ્ઞય અને ઉપાદેયની સમ્યમ્ સમજણ પ્રાપ્ત કરવામાં, પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરવામાં તેમજ સંવર અને નિર્જરા કરવામાં શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં સમ્યમ્ સમજણ રહેલી છે. પુણ્ય એ સોનાની બેડી છે એ ખરું, પરન્ત પુણ્યાનુબંધી પુણ્ય ધર્મારાધના કરવામાં સંવર અને નિર્જરા કરવામાં દરેક પ્રકારની અનુકૂળતા કરી આપે છે તે દષ્ટિએ તે કામચલાઉ ઉપાદેય બને છે. આ કાળમાં આ ક્ષેત્રમાંથી મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી, પરન્તુ મોક્ષ પ્રાપ્તિ માટેનો ભગવાન મહાવીરે પ્રરૂપેલ માર્ગ વિદ્યમાન છે અને આ માર્ગની સમ્યમ્ સમજણ આપનાર ભગવાન મહાવીરના વારસદારો પૂ. સાધુ-સાધ્વીજીઓનો સુયોગ પણ છે; તેનો શ્રેષ્ઠ લાભ લઈને, ઓછામાં ઓછા ભવમાં મુક્તિ ધામમાં પ્રવેશ મેળવી શકાય તેવી યોગ્યતા પ્રાપ્ત કરવામાં જ આ બધા દુર્લભ યોગો પ્રાપ્ત થયાની સાર્થકતા છે. તે માટે આ ભવમાં ઓછામાં ઓછું સમ્યગુ દર્શન (સમ્યકત્વ) પ્રાપ્ત કરી લેવાનો તમામ પુરૂષાર્થ સમ્ય પ્રકારે કરી લેવો ઘટે છે. સમ્ય દર્શન એ મુક્તિધામમાં પ્રવેશ માટેનો પાસપોર્ટ છે. આ પાસપોર્ટ ઓછામાં ઓછા ભવમાં મુક્તિધામમાં પ્રવેશ આપવાની ખાત્રી આપે છે. સમ્યમ્ દર્શનની પ્રાપ્તિ માટે “ઉપાસક દશાંક સૂત્ર અને પૂ. અમોલખઋષિજી મ. સા. રચિત જૈન તત્વ પ્રકાશના સાર રૂપે પૂ. નિરંજનમુનિ મ.સા., સંપાદિત “શ્રી જૈન ત્તત્વસાર” પુસ્તકનો ચિંતન-મનનપૂર્વક નિયમિત સ્વાધ્યાય, પૂ. સાધુ-સાધ્વીજીઓનો સત્સંગ સહાયક બની શકે તેમ છે. આપણે સૌ આપણને મળેલ દુર્લભ-અતિ દુર્લભ સુયોગોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને, આ ભવમાં સભ્ય દર્શન પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરવા શક્તિમાન બનીએ એ જ અંતરની ભાવના-અભ્યર્થના. ગોંડલ સંપ્રદાયના બા.બ્ર. યુવા પ્રણેતા પૂ. ધીરજ મુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy