SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આવા પુત્રરત્નને જન્મ નથી આપી શકતી. એટલે કે આ જગતમાં તીર્થંકર તુલ્ય બીજું કોઈ હોતું જ નથી. આવા અનંતાનંત ગુણોના ધા૨ક સકળ પાપોના નાશક, અખિલ વિશ્વના સુધારક નરેન્દ્ર, સુરેન્દ્ર, મુનીન્દ્ર, ત્રિજગતના વંદનીય, પૂજનીય અરિહંત ભગવાન મહાપુરુષ હોય છે. (આર્યા છે.) कित्तियवंदिय महिया, जे ओ लोगस्स उत्तमा सिद्धा । बोहिलाभ समाहिवरमुत्तमंदितुं ॥ आरुग्ग અર્થ : જે સર્વ લોકમાં ઉત્તમ, સિદ્ધ સ્થાનને પ્રાપ્ત થનાર તીર્થંકર ભગવાન છે તેમનું હું વચન થકી કીર્તન કરું છું. કાયા થકી વંદના નમસ્કાર કરું છું, મન થકી પૂજા-મહિમા કરું છું. અહો તીર્થંકર ભગવાન ! મુજ ''૨ પ્રસન્ન થઈને રોગરહિત, સમકિત અને ઉત્તમ, પ્રધાન સમાધિ મને અર્પણ કરો. 事事事 ‘જિનશાસન જેવું આ જગમાં, શાસન .બીજું છે જ નહીં અરિહંતોએ સ્થાપ્યું જેને, ઉત્થાપે એને કોઈ નહીં લઈ લો જિનશાસનનું શરણું, સાચો સહારો એજ અહીં ભવસાગર તરવાનો મોકો, ફરી ફરી આવો મળે નહીં” “આજ્ઞા તમારી નાથ જિનવર, જીવનમાં અવધારી લઉં શ્રદ્ધા કરું પ્રતીતિ કરું, આગમના ભાવો વધાવી લઉં અંધારું દૂર દૂર ચાલ્યું જાશે, પ્રકાશ તો પથરાઈ જશે આશા ભરી છે એક દિલમાં, અરિહંત શરણ સ્વીકારી લઉં' ૨૦ Jain Education International અરિહંત અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy