SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ પરિવર્તનના તેમજ શરીર અને આત્માની ભિન્નતાના વિચારોમાં મનને સ્થિર કરે તે પિંડસ્થ ધ્યાન અથવા લોકના સંસ્થાનનું તેમજ બીજા પ્રકરણમાં દર્શાવેલ લોકમાં રહેલાં સ્થાનોનું ચિંતન કરે તે પણ પિંડ ધ્યાન. (૩) રૂપસ્થ ધ્યાન - પ્રથમ ખંડના પ્રથમ પ્રકરણમાં વર્ણવેલા અરિહંત પરમાત્માના ગુણોની સાથે પોતાના આત્માના ગુણોની એકતાનો તથા ભિન્નત્વ (પૃથ૮) પણામાંથી અભિન્ન બનવાના સાધનના વિચાર કરી તે ગુણોમાં તલ્લીન બને તે રૂપસ્થ ધ્યાન. (૪) રૂપાતીત ધ્યાન - સિદ્ધના ગુણોની સાથે આત્માના ગુણોની એકતા કરે કે જે પ્રમાણે સિદ્ધ પરમાત્મા વ્યક્ત રૂપથી સત્ ચિત્ આનંદમય છે તે જ પ્રમાણે હું પણ શક્તિરૂપે સત્ ચિત્ આનંદમય છું. અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત આત્મસુખ, અનંત વીર્ય, અરૂપીપણું, અખંડિતતા, અજરામરપણું, અવિનાશીપણું સિદ્ધ ભગવંતમાં વ્યક્તરૂપ છે અને મારામાં શક્તિરૂપ છે. જે ગુણ શક્તિરૂપ છે તે વ્યક્તરૂપે (પ્રકટરૂપે) થતાં હું પણ સિદ્ધ બની જઇશ. જન્મ, જરા, મરણનાં જાલીમ દુઃખોથી વિમુક્ત થઈ અજરામર થઇ જઇશ. આધિ, વ્યાધિ, ઉપાધિથી સર્વથા મુક્ત થઇ સચ્ચિદાનંદમય બની જઇશ, કે જેથી પર્યાયનો પલટો કદાપિ થાય નહિ, આવું જે ધ્રુવ પદ છે, જેનો અંશ માત્ર પણ નાશ ન પામે તેની પ્રાપ્તિ થતા હું પણ ખુદ અનંત, અક્ષય, સુખમય બની જઇશ. આ પ્રમાણે ચારે ધ્યાનને બાહ્ય ભાવથી ધ્યેય રૂ૫ ધ્યાતા થકો પછી બાહ્યભાવથી શારીરિક અવસ્થામાં સંલગ્ન બને. જેમ કે, (૧) પદસ્થ ધ્યાન - તે કમરની નીચેના અંગ તરફ પ્રથમ લક્ષ રાખી પછી (૨) પિંડસ્થ ધ્યાન - તે કમરની ઉપરના અંગ તરફ લક્ષને ચડાવે પછી (૩) રૂપસ્થ ધ્યાન - તે ગ્રીવાની ઉપરના અંગ તરફ લક્ષ ચડાવે અને (૪) રૂપાતીત ધ્યાન - તે સર્વ શરીરવ્યાપક આત્મામાં લક્ષ સ્થિર કરે એમ મન અને શરીરનું નિર્ધન કરી પછી આત્મદ્રવ્ય અને તેની પર્યાયમાં ધ્યાનથી ચિંતન કરે. - ૪૦૬ અંતિમ શુદ્ધિ અધિકાર | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy