SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન : જો ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કષાય ઇત્યાદિને વશ પડી અન્ન, પાણી આદિનો ત્યાગ કરી મરે તો, તથા ક્રોધાદિના આવેશમાં અગ્નિમાં બળીને પાણીમાં ડૂબીને, ઝેરખાઈને ઇત્યાદિ પ્રકારે મૃત્યુ કરે તો આત્મઘાતનું પાપ ગણાય છે, પરંતુ ક્રોધાદિ કોઇ પણ કારણ વિના, ફક્ત પોતાના આત્માના કલ્યાણને માટે સંસારના મોહ મમત્વનો પરિત્યાગ કરી, જે આરાધનાપૂર્વક ચારે આહાર પાણી આદિનો પરિત્યાગ કરી સમાધિભાવથી દેહમમત્વ છોડી સંલેખના સહિત મૃત્યુ કરે છે તેને આત્મહત્યા કહેવાતી નથી. વ્યવહા૨નું પ્રત્યક્ષ દૃષ્ટાંત પણ જોઇ લો - સુદૃઢ અને નિરોગી મનુષ્યો સંગ્રામમાં મરે છે તેને આત્મઘાતી કોઇપણ કહેતું નથી, તો પછી કર્મશત્રુઓનો સંહાર કરવા ભાવ સંગ્રામમાં પ્રવૃત્ત થઇને જે શરીરનો ત્યાગ કરે છે, સમાધિમરણથી મરે છે તેમને આત્મઘાતી કેવી રીતે કહેવાય ? ન જ કહેવાય. પુરુષાર્થ સિદ્ધયુપાય' નામક ગ્રંથમાં કહ્યું છે કે ઃ હિંસાના કારણરૂપ જે કષાય છે તેને ઘટાડવાની પ્રવૃત્તિ તે અહિંસા જ કહેવાય છે. સંલેખના વ્રત અહિંસાની સિદ્ધિ અર્થે કરાય છે. તેમાં આત્મઘાતનો દોષ કિંચિત્ માત્ર પણ નથી. પ્રશ્ન - શાસ્ત્રકારોએ મનુષ્ય જન્મને ઘણો દુર્લભ બતાવ્યો છે. વળી આ શરીરનું પાલનપોષણ કરવાથી જ શુદ્ધ ઉપયોગ, વ્રત, સંયમાદિ ધર્મારાધન પણ થઇ શકે છે. તેથી એવા ઉપકારક શરીરનું રક્ષણ કરવું એજ ઉચિત છે. પરંતુ તમે સંથારો કરીને તેનો નાશ શા માટે કરો છો ? ઉત્તર - તમારૂં કથન સત્ય છે. અમે પણ એમ જ માનીએ છીએ. પરંતુ જેમ કોઈ શાહુકાર દ્રવ્ય પ્રાપ્તિને માટે દુકાનની સારસંભાળ કરતો હોય, તેવામાં દૈવયોગે અગ્નિ પ્રયોગ થઇ જાય તેવા પ્રસંગે તે શાહુકાર પોતાનું જો૨ ચાલે ત્યાં સુધી દુકાન અને દ્રવ્ય બંને બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ જ્યારે કોઈ પણ ઉપાયે દુકાનની રક્ષા થઇ શકશે નહિ એમ તેને જણાય છે, ત્યારે તેમાંથી દ્રવ્યને જ બચાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ દુકાનની સાથે ઘનનો પણ નાશ થવા દેતો નથી. તેવી જે રીતે, અમે પણ આ શરીરરૂપ દુકાનની સહાયથી તપ, સંયમ, પરોપકારાદિ અનેક લાભો ઉપાર્જન કરતા હતા, પરંતુ જ્યારે મૃત્યુરૂપી |४०४ | અંતિમ શુદ્ધિ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy