SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ નાટક, ચેટક, સ્ત્રી આદિનાં રૂપ નિરીક્ષણ કરવાનું અત્તર પુષ્પાદિ સુગંધી દ્રવ્ય સુંઘવાનું, ષડરસ ભોગવવાનું, સ્ત્રી શયનાસનાદિ ભોગવવાનું નિયાણું કરે તો અતિચાર લાગે. સંથારો કરનાર મહાત્માએ ઉક્ત પાંચ પ્રકારના વિચાર કદાપિ ન કરવા જોઇએ, અને સંથારાથી પ્રાપ્ત થતા પરમાનન્દ સુખના લાભને ગુમાવવો ન જોઇએ. | સમાધિમરણ (સંથારો) વાળાની ભાવના) | (૧) અહો ! ઇતિ આશ્ચર્ય ! કે અનંત પરમાણુ પુદ્ગલોનો સમૂહ મળીને આ શરીરપિંડ નિર્માણ થયું હતું અને જોત જોતામાં તો તે પ્રક્ષીણ થવા લાગ્યું અહો ! પુદ્ગલોની કેવી વિચિત્રતા છે ! (૨) અહો ! જિનેન્દ્ર ભગવાન ! આપે કહ્યું છે કે “અધુવે અસાસયમિ' અર્થાત્ આ પુદ્ગલપિંડ અધ્રુવ અને અશાશ્વત છે. આ કથનનો આટલા દિવસ મેં ખ્યાલ કર્યો નહિ, પરંતુ હવે શરીરની આ વિનાશક રચના જોઇને નિશ્ચયાત્મક બન્યો છું કે, આપનું કથન યથાતથ્ય છે. (૩) જે પ્રમાણે મનુષ્યનો મેળો કાળાંતરે વિખરાઈ જાય છે, તેવી જ રીતે કુટુંબનો સંબંધ પણ સંસારરૂપ મેળો છે. તેનો પણ વિખરાવાનો સ્વભાવ છે. જેમ મેળામાં ભેળા થયેલા લોકો મેળો વિખરાઈ જશે તેની કોઇ ફિકર કરતા નથી, તેવી જ રીતે હું (ચૈતન્ય) પણ પ્રેક્ષક છું. મને પણ આ શરીરપર્યાય છૂટવાની ફિકર કરવી તે ઉચિત નથી. (૪) જગતનો કર્તાહર્તા કોઈ નથી. સર્વ સંયોગ સ્વભાવથી જ મળે છે અને સ્વભાવથી જ વિખરાય છે. તેવી જ રીતે આ શરીરનો સંયોગ પણ સ્વભાવથી જ મળ્યો છે અને સ્વભાવથી જ વિખરાશે. મારો રાખ્યો રહેશે નહિ, અને વિખેર્યો વિખરાશે નહિ, તો પછી તેના વિયોગની ફિકર મારે શા માટે કરવી જોઇએ ? થવાનું હશે તે થયા કરશે. (૫) હું ચૈતન્ય જ્ઞાયક સ્વભાવનો કર્તા, ભોક્તા અનુભવી અને જ્ઞાનમય છું. મારો જ્ઞાયક સ્વભાવ અવિનાશી છે. અને આ શરીર નાશવંત છે, શરીરનો ૩૯૬ અંતિમ શુદ્ધિ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy