SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ કાલ અણવતંખમાણે વિહરામિ' - મૃત્યુને નહિ, વાંછતા થકો વિચારીશ. આ અણગારી સંથારાનું કથન સંથારો કરવાની વિધિ સહિત પૂર્ણ થયું. સંખનાના પાંચ અતિચાર (૧) ઇહલોગા સંસપ્પઓગે' - મારા સંથારાના ફળરૂપે મને મૃત્યુ બાદ રાજા, રાણી, પ્રધાન, શેઠ, શેઠાણી આદિ પદની પ્રાપ્તિ થાઓ, સેના, પરિવાર, રિદ્ધિ, સંપદાનું શ્રેષ્ઠત્વ પ્રાપ્ત થાઓ, બધાનો વંદનીય, માનનીય, પૂજનીય બનું ઇત્યાદિ આ લોક સંબંધી સુખની વાંછા કરે તો અતિચાર લાગે. (૨) “પરલોગ સંસપ્પઓગે' - આવી જ રીતે પરલોક સંબંધી સુખની ઇચ્છા કરે. જેવી કે મને ઇંદ્ર, ઇંદ્રાણી, દેવ, દેવી કે અહમેન્દ્રાદિની જ પદવી પ્રાપ્ત થાઓ. તો અતિચાર લાગે. (૩) “જીવિયા સંસપ્પઓગે' - સંથારો કરવાથી મહિમા પૂજા થતી જોઇ, વિશેષ લોકોનું આગમન જોઇ ઇચ્છા કરે કે હું વધારે વખત જીવતો રહું તો ઠીક. આમ ચિંતવે તો અતિચાર લાગે. (૪) “મરણા સંસUઓગે” – ૮ સુધા, તૃષાદિ વેદનાએ વ્યાકુળ થઇ વિચાર કરે કે જલ્દી મરી જાઊં તો ઠીક, તો પણ અતિચાર લાગે. (૫) “કામભોગા સંસપ્ટઓગે' - સારા રાગ, રાગિણી, વાજિંત્ર વગેરે સાંભળવાનું, * તપશ્ચર્યા તથા સંથારા આદિ ધર્મકરણી કરીને જે ઉક્ત પ્રકારે આ લોક પરલોક સંબંધી રિદ્ધિસિદ્ધિ સુખ પ્રાપ્તિનો અનુબંધ બાંધે છે તે ક્રોડોનો લાભ કોડીમાં ગુમાવી બેસે છે. થોડી કરણીનું વિશેષ ફળ મળતું નથી, તેમજ કરણીનું ફળ પણ નિષ્ફળ જતું નથી, તો પછી વાંછા કરીને કરણીનું ફળ શા માટે ગુમાવવું જોઇએ ? નિર્વાઇક કરણી દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે કેવળ મોક્ષને અર્થે જ કરણી કરવી અને તેનો મહાલાભ પ્રાપ્ત કરી લેવો. < વધારે જીવવું કે જલ્દી મરવું એ કોઇના હાથની વાત નથી. ઇચ્છા કરવાથી આયુષ્ય છું અધિવું તો થતું નથી, પરંતુ કર્મબંધ તો અવશ્ય થાય છે. માટે નકામા વિચાર કરીને કારણ વિના કર્મ બાંધવાં ન જોઈએ. શ્રી જૈન તત્વ સાર ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy