SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ જો બેસવાની શક્તિ ન હોય તો ભીંતાદિને ઓઠીંગણે બેસે અથવા સૂઇ જઇને પણ ઇચ્છા મુજબ સ્થિર આસન કરે. પછી બન્ને હાથ જોડી દસે આંગળીઓ એકત્ર કરે. અને જે પ્રમાણે અન્યદર્શની આરતી ઉતારે છે તે પ્રમાણે જોડેલા હાથોને જમણી બાજુથી શરૂ કરી જમણી બાજુ તરફ ત્રણ વાર લઈ મસ્તકે સ્થાપન કરે. પછી નમોત્થણનો પાઠ ભણે. પહેલું નમોત્થણે શ્રી સિદ્ધ ભગવંતને અને બીજું શ્રી અરિહંત ભગવાનને કહેવું. વિશેષમાં છેલ્લું પદ “ઠાણે સંપત્તાણું” ને બદલે “ઠાણે સંપાવિઉ કામાણે” (એટલે સિદ્ધ પદ પામવાના ઇચ્છુક) કહેવું પછી ત્રીજું નમોત્થણ “મમ ધમ્મગુરુ ધમ્માયરિય ધોવદેસબસ્ત જાવ સંપાવિ કામસ્સ” અર્થાત્ મારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મોપદેશનાં દાતાર યાવત્ મોક્ષ પ્રાપ્ત કરવાના અભિલાષી તેમને નમસ્કાર હો. આ પ્રમાણે વંદન નમન કરીને પછી પૂર્વે સમાચરણ કરેલા સમતિ, વ્રત નિયમમાં આજ સુધી સ્વવશે, પરવશે, જાણપણે, અજાણપણે જે કંઇ દોષ અતિચાર લાગ્યા હોય તેની આલોચના - વિચારણા કરી તેનાથી નિવત્ છે. ગુરુની સાક્ષીએ ગહ (તે પાપની નિંદા) કરું છું. એમ કહી પછી ભવિષ્યને માટે પ્રત્યાખ્યાન કરી માયા, નિયાણું અને મિથ્યાત્વ દર્શન એ ત્રણ શલ્ય રહિત બને. આ પ્રમાણે શુદ્ધ નિર્મળ થઇને ભવિષ્યમાં “સવ્વ પાણાઇવાય પચ્ચખામિ) સર્વથા પ્રાણાતિપાતનો ત્યાગ કરું છું. ‘સવૅ મુસાવાયં પચ્ચખામિ’ - સર્વથા મૃષાવાદનો ત્યાગ કરું છું, “સબં અદિન્નાદાણું પચ્ચખ્ખામિ' - સર્વથા અદત્તાદાન ત્યાગું છું, “સä મેહુર્ણ પચ્ચખૂમિ' સર્વથા મૈથુનનો ત્યાગ કરું છું. “સવૅ પરિશ્મહં પચ્ચખ્ખામિ) સર્વથા પરિગ્રહનો ત્યાગ કરું છું. “સવૅ કોહ, માણે, માય, લોહ, રાગ, દોસ, કલહ, જાવમિચ્છા દંસણ સલ્ત, અકરણિજ્જ જોગ પચ્ચખામિ’ - સર્વ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશૂન્ય, પરપરિવાદ, રતિ, અરતિ, માયામૃષા, મિથ્યાદર્શનશલ્ય એ અનાચરણીય જોગના પ્રત્યાખ્યાન “જાવજીવાએ તિવિહે તિવિહેણ - જીવું ત્યાં સુધી ત્રણ કરણ ત્રણ યોગથી કરું છું. અર્થાત્ ન કરેમિ, ન કારવેમિ કરતં પિ અન્ન ન સમણુજાણામિ મણસા, વયસા, કાયસા' ઉક્ત અઢારે પાપોને હું પોતે કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ અને અન્ય કોઇ કરતું હશે તેને ભલું પણ જાણીશ નહિ. શ્રી જૈન તત્વ સાર ૩૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy