SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ કદાચિત્ આલોયણા સાંભળવા યોગ્ય એવા કોઇ સાધુજીનો યોગ ન હોય તો ઉક્ત ગુણયુક્ત સાધ્વીજી સન્મુખ આલોયણા કરે. સાધ્વીજીનો પણ યોગ ન હોય તો પૂર્વોક્ત ગુણે કરી સહિત શ્રાવકજી સન્મુખ દોષ પ્રકાશ કરે અને શ્રાવકનો પણ યોગ ન હોય તો ઉક્ત ગુણયુક્ત શ્રાવિકાજી સન્મુખ અને તેવો પણ યોગ ન હોય તો જંગલમાં જઇને પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ ઊભો રહી, બે હાથ જોડી સીમંધર સ્વામીને નમસ્કાર કરી ઉચ્ચ સ્વરે કહે કે અહો પ્રભુ ! મેં અમુક અમુક અનાચરણનું આચરણ કર્યું છે, જેનું પ્રાયશ્ચિત અમુક મારી ધારણામાં છે તેનો હું આપની સાક્ષીએ સ્વીકાર કરું છું. જૂનાધિક હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડે. આ પ્રમાણે નિઃશલ્ય બની પછી જેમ કાળા કોયલા અગ્નિમાં પડવાથી તેની સફેદ રાખ બની જાય છે, તે પ્રમાણે આત્માને ઉજ્જવળ કરવા માટે સંથારા (તપ) રૂ૫ આગમાં ઝુકાવવું. જ્યાં ખાન-પાન ભોગવિલાસના પદાર્થો ન હોય, સાંસરિક શબ્દ સાંભળવામાં આવતા ન હોય, જ્યાં ત્રણ સ્થાવર જીવોની હિંસાનો સંભવ ન હોય તેવા નિર્દોષ પૌષધશાળા, ઉપાશ્રયાદિ સ્થાનમાં અથવા જંગલ, પહાડ, ગુફા આદિ સ્થાનમાં શિલા આદિની ઉપર જ્યાં ચિત્તસમાધિને યોગ્ય જગા હોય તે સ્થાનને રજોહરણાદિથી ધીમે ધીમે પ્રમાર્જન કરે પછી લઘુનીત, પીત્ત, શ્લેષ્માદિ પરઠવવાની જગ્યાનું પ્રતિલેખન કરે જે જીવજંતુ કે વનસ્પતિ રહિત હોય તેને આંખથી સૂક્ષ્મદષ્ટિથી જોઇ લે, પછી સંથારો કરવાના સ્થાન પર આવી ગમનાગમનના પાપની નિવૃત્તિ અર્થે ઇરિયાવહી પડિક્કમે. કાયોત્સર્ગ પારી લોગસ્સ બોલી કહે કે, પ્રતિલેખનામાં પૃથ્વીકાય આદિ છે કાયની વિરાધના થઈ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી જો કષ્ટ સહવા શરીર સમર્થ હોય તો જમીન પર તથા શીલા આદિ પર વસ્ત્રનું બિછાનું કરી તે ઉપર સંથારો કરે અને જો અસમર્થ હોય તો ઘઉં, ચોખા, કોદ્રવ આદિનું પરાળ કે તૃણાદિ જો તદ્દન સાફ (ધાન્ય રહિત) મળી જાય તો તે લાવી તેનું કોઈ હાથ લાંબું અને ૧/ હાથ પહોળું બિછાનું કરે તેને શ્વેત વસ્ત્રથી ઢાંકીને તે ઉપર પૂર્વ તથા ઉત્તરાભિમુખ પલ્યકાદિ (પલાઠિ કે પદ્માસન) આસને બેસે અથવા જે આસન સુખદ માલૂમ પડે, જેનાથી ચિત્તની સમાધિ રહે તે આસને બેસે. ૩૯૨ અંતિમ શુદ્ધિ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy