SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાનમાં સુભાગ્યોદયથી સાધુ સાધ્વીજીને દાન દેવાનો સુઅવસર સાંપડ્યો છે, તો ઉત્સુક ભાવે ભક્તિપૂર્વક યથોચિત્ દાન દઇ મહાલાભ પ્રાપ્ત કરશે તે આલોક પરલોકમાં સુખી થશે. અને અનુક્રમે મોક્ષના અનંત સુખોને મેળવશે. આ ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એ ૧૨ વ્રતનું સંક્ષિપ્ત વર્ણન કર્યું. જો શક્તિ હોય તો બારે વ્રતોનું પાલન કરવું, નહિ તો શક્તિ અનુસાર બને તેટલા વ્રત અંગીકાર કરી જેમ જેમ અવસર પ્રાપ્ત થતો જાય તેમ તેમ વ્રતોમાં વૃદ્ધિ કરી બાર વ્રતધારી શ્રાવક બનવું જોઇએ. શ્રાવકની ૧૧ પ્રતિમા ઉપરોક્ત બારે વ્રતોનું યથાવિધિ શુદ્ધ સમાચરણ કરતાં કરતાં વૈરાગ્યભાવમાં વૃદ્ધિ કરતાં કરતાં જ્યારે વિશેષ વૈરાગ્ય ભાવ આવે છે ત્યારે અધિક ધર્મવૃદ્ધિ કરવાના અભિલાષી શ્રાવક ગૃહકાર્ય અને પરિગ્રહાદિનો ભાર પોતાના પુત્ર કે ભ્રાતા વગેરે જે તેનો નિર્વાહ કરવાને સમર્થ હોય તેને સોંપી દે છે, અને પોતે ગૃહકુટુંબના મમત્વથી નિવૃતિ પામે છે. અને ધર્મવૃદ્ધિનાં ઉપકરણ જેવા કે, આસન, ગુચ્છો, રજોહરણ, મુખવસ્ત્રિકા, માળા, પુસ્તક તથા ઓઢવા બિછાવવાનાં વસ્ત્ર આદિ ગ્રહણ કરીને પૌષધશાળા આદિ ધર્મસ્થાનકમાં ___D गाथा - अणुकंपा संग्गहे चेव भये कालूणिइय । लज्जाए गारवेणं च, अहम्मे पुण्ण सत्तमं । धम्मेय अठुमं वुते, कयहतिय ॥ (ઠાણાંગ સૂત્ર ભાગ - ૫ પાનું ૫૫૧) (૧) અનુકંપાદાન - દુઃખી જીવોને દુઃખમુક્ત કરવાને કોઇ વસ્તુ આપે. (૨) સંગ્રહદાન - સંકટગ્રસ્ત જીવોને સંકટમાંથી છોડાવે. (૩) અભયદાન - સાત પ્રકારના ભયથી ભયભીત બનેલા જીવોને અભય કરવા અને મરણોન્મુખ પ્રાણીને મૃત્યુથી બચાવવા વસ્તુ આપે તે અભયદાન. (૪) કારુણ્યદાન - સ્વજનાદિના મૃત્યુ બાદ અભ્યાગતાદિને આપે તે. (૫) લજ્જાદાન - કોઈની શરમમાં આવી કંઇક દાન કરે તે. (૬) ગૌરવદાન - અભિમાનમાં આવીને કંઇક આપે તે. (૭) અધર્મદાન - વેશ્યા આદિ કુદર્મ કરનારને આપે તે. (૮) ધર્મશાન સાધુ શ્રાવકને પ્રાસુક આહારાદિ આપે તે. (૯) કરિષ્યતિદાન - આણે મારા ઉપર ઉપકાર કર્યો છે માટે એને કંઇક આપવું જોઇએ એવા વિચારથી આપે તે. (૧૦) કુતદાન આ માણસે મારા ઉપર ઘણા ઉપકારો કર્યા છે. આ ભાવનાથી પ્રેરાઈને દાન દેવાય છે તે.) શ્રી જૈન તત્ત્વ સાર ૩૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy