SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલ્યા જાય છે અને પછી નીચે પ્રમાણે શ્રાવકની ૧૧ પ્રતિમાનું યથાવિધિ સમાચરણ કરે છે. (૧) દંસણ પડિમા' - એક મહિના પર્યત નિર્મળ સમકિત પાળે, શંકાકાંક્ષાદિ પાંચ અતિચારમાં કોઇપણ અતિચાર કિંચિત્માત્ર સેવે નહિ. ગૃહસ્થને તથા અન્યતીર્થીને નમસ્કારાદિ કરે નહિ. (૨) “વ્રત પડિમા' - બે મહિના પર્યત સભ્યત્વપૂર્વક ઉક્ત બારે વ્રતોનું ૭૫ અતિચાર રહિત નિર્મળ પાલન કરે. કોઇપણ અતિચારોના સેવનરૂપ કિંચિત્ દોષ લગાડે નહિ. (૩) સામાયિક પડિમા' - અર્થાત્ ૩ મહિના પર્યત સદેવ સમ્યકત્વપૂર્વક પ્રાતઃ મધ્યાહ્ન અને સંધ્યા એમ ત્રિકાળ ૩ર દોષરહિત શુદ્ધ સામાયિક નિરંતર કરે. (૪) પૌષધ પડિમા' - ચાર મહિના સુધી સમ્યકત્વ, વ્રત અને સામાયિકપૂર્વક ૧૮ દોષ રહિત દર માસે છ પોષા કરે. (૨ આઠમ, ૨ ચૌદશ, ૧ અમાવસ્યા અને ૧ પૂર્ણિમા). (૫) નિયમ પડિમા' - પાંસ માસ સુધી સમક્તિ, વ્રત, સામાયિક અને પૌષધપૂર્વક પાંચ પ્રકારના નિયમનું સમાચરણ કરે. (૧) સર્વ સ્નાન કરે નહિ. (૨) રાત્રિ ભોજન કરે નહિ. (૩) ધોતિની એક લાંગ ખુલ્લી રાખે. (છેડો ખોસે નહિ) (૪) દિવસે બ્રહ્મચર્ય પાળે. (પ) રાત્રિમાં મૈથુનનું પરિમાણ કરે છે તેમજ એક રાત્રિની ઉપાસક પ્રતિમાનું પણ સારી રીતે પાલન કરે છે. (૬) “બ્રહ્મચર્ય પડિમા' - છ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ નિયમપૂર્વક કરે નવવાડ વિશુદ્ધ અખંડિત બ્રહ્મચર્યનું પાલન કરે. (૭) “સચિતપરિત્યાગ પડિમા' - સાત મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ, નિયમ અને બ્રહ્મચર્ય પૂર્વક સર્વ પ્રકારની સચિત વસ્તુના ઉપભોગ પરિભોગનો પરિત્યાગ કરે. ૩૮૨ શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy