SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ પારણામાં કુશાગ્ર ઉપર રહે તેટલું અન્ન અને અંજલિમાં રહે તેટલું પાણી ગ્રહણ કરી માસ મા ખમણનાં તપ, ક્રોડ વર્ષ સુધીની કરનાર અજ્ઞાની તપસ્વીના તપનું ફળ સમકિતી શ્રાવકના એક સામાયિકના ફળના સોળમાં ભાગની પણ બરોબરી કરી શકતું નથી. આવા મહાન લાભને આપનાર સામાયિક વ્રત છે. એટલા માટે જો વધારે ન બની શકે તો સવાર, બપોર, સાંજ મળી ૩ સામાયિક જરૂર કરવા જોઈએ. કદાચ ત્રણ વાર ન બની શકે તો સવાર સાંજ મળી બે સામાયિક જરૂર કરવા જોઈએ. “આઠ પ્રહર કાજકી તો દો ઘડી જિનરાજ કી' આઠે પહોર ઘર ધંધામાં રચ્યા પચ્યા રહેવાને બદલે બે ઘડી આત્માના ઉત્થાન કાજે જરૂર બચાવવી જોઈએ. સામાયિક વ્રતનું સમ્યક્ પ્રકારે આરાધન કરવાથી ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે. આત્માની અનંત શક્તિ પ્રગટ થાય છે. રાગ દ્વેષ રૂપી દુર્જય શત્રુનો નાશ થાય છે. જ્ઞાનાદિ ત્રણ રત્નોનો લાભ થાય છે. જન્મ, જરા, મૃત્યરૂપ જાલિમ દુઃખોનો અંત આવે છે અને ભવિષ્યમાં સ્વર્ગના અને ક્રમશઃ મોક્ષનાં અનંત સુખો પ્રાપ્ત થાય છે. દિશમું દેશાવકાસિક વ્રતો પૂર્વોક્ત છઠ્ઠા વ્રતમાં દિશાનું અને સાતમાં વ્રતમાં ભોગોપભોગનું પરિમાણ જાવજીવને માટે ક્યું છે, પરંતુ એટલા બધા ક્ષેત્રમાં જવાનું ભોગપભોગ ભોગવવાનું નિરંતર કામ પડતું નથી અને અવ્રતની ક્રિયા તો ચાલુ જ રહે છે માટે આત્માર્થી સજ્ઞ શ્રાવકે પોતાના આત્માને પાપથી બચાવવા માટે હંમેશા પ્રાતઃકાળના એક પહોરના એક અહો રાત્રિના અથવા પખવાડીયું કે માસના એમ જેટલા કાળની મર્યાદા કરવી ઘટે તેટલા કાળમાં જેટલા ક્ષેત્રની બહાર જઈ હિંસા, જૂઠ, ચોરી મૈથુન અને પરિગ્રહ એ ૫ આશ્રવ સેવવાના પચ્ચખાણ સામાયિકની જેમ બે કરણ ત્રણ જોગે કરી લેવા. તેમજ મર્યાદાની અંદર રહીને પણ સાતમાં વ્રતમાં ભોગોપભોગનાં ૨૬ બોલની જે મર્યાદા કરી હોય તેમાંથી જેટલી આવશ્યક્તા હોય તે ઉપરાંત ભોગપભોગના પચ્ચખાણ એક કરણ ત્રણ જોગે કરવા. તેમાં આગાર-જો રાજાની આજ્ઞાની મર્યાદા ઉપરાંત જવું પડે, દેવતા કે વિદ્યાધર અપહરણ કરી મર્યાદા બહાર લઈ જાય ઉન્માદાદિ રોગથી વિવશ થઈ મર્યાદા બહાર ચાલ્યું જવાય અને સાધુજીના દર્શનાર્થે જવું પડે કે મરતા જીવને બચાવવા આદિ શ્રી જૈન તત્ત્વ સાર ૩૭૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy