SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ समझा सके पापसे, जन समझा हर्षन्त वे लुक्खे वे चीकने, इसविध कर्म बंधन्त । समझ सार संसारमें, समझ टाले दोष समझ समझ कर जीवडे गये अनंते मोक्ष । અર્થ : સમજૂ માણસ તો પાપ કર્મનું આચરણ કરતો જ નથી. કદાચિત્ કારણવસાત્ કરવું પડે તો તે મનમાં શંકાય છે, પાપથી ડરીને કામ કરે છે, તેથી તેની રૂક્ષ વૃત્તિ રહે છે. આને લીધે જેમ રેતીની મુઠ્ઠી ભીંત ઉપર ફેંકવાથી ત્યાં ચોંટતી નથી પણ તરત નીચે પડી જાય છે. તેવી જ રીતે તેના કર્મ પણ તપ, જપ અને પશ્ચાત્તાપાદિ કરવાથી છૂટી જાય છે. સંસારમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યાને સાર એજ છે કે, રામજણ (જ્ઞાન) પ્રાપ્ત કરી જ્ઞાતી બનાવું. જ્ઞાની હશે તે પાપ પુણ્યના ફળને યથાતથ્ય સમજશે. પુણ્યના ફળ સુખદાતા અને પાપના દુઃખદાતા છે. એવું જ્ઞાન જેનામાં હશે તે પુણ્યની વૃદ્ધિ કરશે અને પાપને ઘટાડશે. આમ અનુક્રમે પાપ ઓછા કરતાં કરતાં કોઈ વખતે તે સર્વ પાપ રહિત બની જાય અને પુણ્યથી સ્વભાવતઃ નિવૃત્તિ પામીને મોક્ષ પ્રાપ્ત કરી લેશે. હવે જે અજ્ઞાની મનુષ્ય છે તે પાપાચરણ કરીને આનંદ પામશે. આથી જેમ ભીનો ચીકણો કાદવ ભીંત પર ફેંકવાથી તે ત્યાં ચોંટી જાય છે અને મુશ્કેલીએ ત્યાંથી છૂટો પડે છે, તેવી જ રીતે તેના કર્મ પણ નક, તિર્યંચાદિ દુર્ગતિનાં મહાદુ:ખ દેનારા રોતા રોતા ભોગવ્યા છતાં જલ્દી છૂટકારો ન થઈ શકે તેવા ચિકણા બંધાય છે. રૂક્ષતાથી ભોગોપભોગ ભોગવો ચાહે લુબ્ધતાથી ભોગવો. જેમકે સાકર રૂક્ષ ભાવે ખાનારને પણ મીઠી લાગે છે અને લોલુપતાથી ખાતા પણ તે મીઠી લાગશે, તો પછી લુબ્ધ બનીને ચીકણા કર્મો શા માટે બાંધવા? અલ્પ સુખને માટે મહાદુ:ખ ઉપાર્જન કરી લેવું તે સુજ્ઞ મનુષ્યોને ઉચિત નથી. આઠમાં વ્રતનું આ સંક્ષિપ્ત સ્વરૂપ સમજી લઈને જેટલા અનર્થ દંડના કામ છે તેનાથી સુજ્ઞ શ્રાવકોએ પોતાના આત્માને બચાવવો કે જેથી અનેક પ્રકારના પાપોતી અને ચીકણા કર્મબંધનથી બચી જઈ આ જગતમાં સુખોપજીવી શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only ૩૬૫| www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy