SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ બરછી વગેરેને હાથા કે ભલકા લગાવે. આમ અપૂર્ણ ઉપકરણને પૂર્ણ કરવાથી તે શસ્ત્ર આરંભની વૃદ્ધિ કરનારું બને છે. બીજા માગે તો તેને પણ દેવું પડે છે તેથી અતિચાર લાગે છે. જો તે અપૂર્ણ હોય તો સહેજે બચી જવાય છે. આવું જાણી અપૂર્ણ શસ્ત્રને વિના પ્રયોજન પૂર્ણ ન કરવું તથા આવશ્યક્તાથી અધિક શસ્ત્રોનો સંગ્રહ પણ ન કરવો. ઘરમાં જે શસ્ત્રો હોય તેને પણ એવી રીતે ગુપ્ત રાખવા કે તે બીજાના હાથમાં જવા ન પામે વળી કેટલાક માનના ભૂખ્યા નાપટેલ કે મહાજનના મોવડી બની બેસે છે. અને લગ્ન કારજ આરંભના કામમાં આગેવાન થઈને તાવડા બેસાડવાની ખાંડ-સાકર વગેરેની ચાસણી કરવાની, શાક વગેરેની આજ્ઞા આપે છે. તથા પાપારંભના કાર્યને ઉત્તેજના આપે છે. એવા કામ પોતે કરે છે અને બીજા પાસે કરાવે છે. દિવાળી, દશેરા, હોળી આદિ પર્વને માટે લીંપણ, ગૂંપણ, રંગવું, ધોવું, રાંધવું, તળવું મકાન ધોવડાવવા આદિ આરંભના કામોનો બધાની પહેલા પ્રારંભ કરી દે છે તે જોઈ બીજાઓ પણ આરંભ કરવા માંડે છે આથી તેવા કામની પાપની ક્રિયાનો અધિકાર તે પ્રારંભ કરનાર બને છે. આ પણ અનર્થ દંડ છે. આત્મા તેથી વિના કારણ દંડાય છે. માટે શ્રાવકે તેમ કરવું નહિ. (૫) ઉપભોગ પરિભોગ અર7: ઉપભોગ પરિભોગમાં અતિ આસક્ત બને જેમકે નાટક, ચેટક, ખેલ, તમાસા, સ્ત્રી પુરુષાદિના રૂપનું નિરીક્ષણ કરવામાં, રાગ રાગીણી, વાજિંત્રો સાંભળવામાં, અત્તર, પુષ્પાદિની સુગંધમાં મનોજ્ઞ રસવતીના ઉપભોગમાં, સ્ત્રી આદિ સંબંધમાં ઇત્યાદિ પ્રવૃત્તિમાં અતિઆસક્ત બને. વાહ! કેવી મજા પડે છે! ઇત્યાદિ શબ્દોચ્ચાર કરે આ પ્રમાણે ભોગપભોગમાં મશગૂલ બનવાથી જીવ તીવ્ર રસે ચીકણા અને દીર્ઘ સ્થિતિના કઠણ દુર્ભેદ્ય કર્મો બાંધે છે. આવું જાણી શ્રાવકે અપ્રાપ્ત ભોગોની ઇચ્છા માત્ર કરતા નથી અને પ્રાપ્ત ભોગોમાં બહુ લુબ્ધ બનતા નથી. લાલા રણજીતસિંહજીએ બૃહદાલોયણામાં કહ્યું છે કે, કદી શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy