SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ કરનારને તો જેટલું ક્ષેત્ર ખુલ્લું રાખ્યું છે તેટલા જ પાપનો હિસ્સો આવે છે બાકી આખા લોકનો આશ્રવ બંધ થાય છે. એટલા માટે શ્રાવક(૧) ઊર્ધ્વ દિશાનું યથાપરિમાણ ઊંચી દિશામાં ગમન કરવાનું પરિમાણ કરે, જેમકે પહાડ, વૃક્ષ, મહેલ, મિનારા, આકાશ ગમન કરવું પડે તો તેના માઈલની મર્યાદા કરે. (૨) અધો દિશાનું યથાપરિમાણ : નીચી દિશામાં ગમન કરવાનું પરિમાણ કરે, ભોયરું, સુવર્ણની ખાણ, કૂવા, વાવડી વગેરેની મર્યાદા કરે. (૩) તિર્જી દિશાનું યથાપરિમાણ : તિર્જી દિશામાં ગમન કરવાનું પરિમાણ કરે, ચારે દિશામાં આટલા કિલોમીટર ઉપરાંત જવું નહિ. આ પચ્ચખાણ બે કરણ અને ત્રણ યોગથી થાય છે. તેનો હેતુ મર્યાદિત ક્ષેત્રની બહાર જઈને ૧૮ પાપ અને ૫ આશ્રવથ નિવર્તવાનો છે. પરંતુ કોઈ જીવને બચાવવા, સાધુજીના દર્શનાર્થે કોઈ મહાઉપકારના કામ માટે તેમજ દીક્ષા ધારણ કર્યા પછી મર્યાદિત ક્ષેત્રની બહાર જાય તો વ્રત ભંગ થતો નથી. છઠ્ઠા વ્રતના ૫ અતિચાર (૧-૨-૩) ઊર્ધ્વ, અધો, તિર્યમ્ દિશા પરિમાણ અતિક્રમ : ઊંચી, નીચી અને તિર્જી દિશામાં ગમન કરવાનું જે પરિમાણ કર્યુ છે. તેનું સમજણપૂર્વક ઉલ્લંઘન કરે તો અનાચાર લાગે, ભૂલી જવાથી નિદ્રામાં મર્યાદા બહાર ચાલ્યા જવાય અને પાંચ આશ્રવનું સેવન કરે તો અતિચાર લાગે. બીજા પાસે મર્યાદા બહારથી મંગાવે તો પણ અતિચાર લાગે. (૪) ક્ષેત્ર વૃદ્ધિ : ક્ષેત્રમાં વૃદ્ધિ કરે તો અતિચાર લાગે. ચારે દિશામાં એક કિલોમીટર જેટલું ખુલ્લું રાખ્યું હોય તેની બહાર જાય તો અતિચાર લાગે. (૫) સઈ અંતરધાએ : સંદેહ પડ્યા છતાં આગળ વધ્યો હોય. ચિત્તભ્રમ વિસ્મરણ થઈ ગયું હોય અને મર્યાદા ઉલ્લંઘે. તો અતિચાર લાગે. - છઠું વ્રત ધારણ કરવાથી ૩૪૩ ઘનરજ્જુના વિસ્તારવાળા સંપૂર્ણ લોકનું જે પાપ આવતું હતું તે રોકાઈને જેટલા ગાઉની મર્યાદા કરી હોય તેટલા જ ક્ષેત્રનું પાપ આવે છે. તૃષ્ણાનો નિરોધ થઈ જાય છે. અને મનને શાંતિ થાય છે. વ્રતધારી શ્રાવક સ્વર્ગના અને ક્રમે મોક્ષના સુખ પ્રાપ્ત કરી લે છે. શ્રી જૈન તત્વ સાર ૩પ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy