SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ જાય તો પણ ધનનો માલિક દુઃખ વેઠે છે. આમ જાણી શ્રાવક સર્વથા તૃષ્ણાનો પરાજય કરી ન શકે તો પણ આસ્તે આસ્તે મમત્વ ઘટાડવાનો પ્રયત્ન કરે. પરિગ્રહની મર્યાદા શ્રાવકે અવશ્ય કરવી જોઈએ. ધર્મમાં દ્રવ્યનો અમુક હિસ્સો લગાડવાનો સંકલ્પવાળાની લક્ષ્મી અચળ રહે છે, યશકીર્તિની પણ વૃદ્ધિ થાય છે. જન સમાજમાં પણ સન્માન મળે છે. આ પ્રમાણે સુખપૂર્વક જીવન વ્યતિત કરી આગળ ઉપર સ્વર્ગના અને અનુક્રમે મોક્ષના સુખની પ્રાપ્તિ કરી શકે છે. ત્રણ ગુણ વ્રત જેવી રીતે કોઠારમાં રાખેલું ધાન્ય વિનાશ પામતું નથી તે જ પ્રમાણે નિમ્નોક્ત ત્રણ ગુણવ્રત ધારણ કરવાથી ઉક્ત પાંચ અણુવ્રતનું સંરક્ષણ થઈ શકે છે તથા સર્વ દિશાની અને સર્વ પદાર્થોની નિરંતર અવ્રતની ક્રિયા આવતી રહે છે તેનો સંકોચ થવાથી આત્મગુણોની વિશુદ્ધતા અને વૃદ્ધિ ગુણવ્રત કહેવાય છે. છઠું વ્રત ક્ષેત્રથી, સાતમું વ્રત દ્રવ્યથી અને આઠમું વ્રત ભાવથી મર્યાદા કરીને આશ્રવનો સંકોચ કરે છે અને સંવરગુણનો વધારો કરે છે. છઠ્ઠ દિશાપરિમાણ વ્રત મુખ્ય દિશા ત્રણ છે. (૧) ઊર્ધ્વ (ઊંચી) દિશા, (૨) અધો (નીચી) દિશા, (૩) તીર્જી દિશા, તેના (1) પૂર્વ, (૨) દક્ષિણ, (૩) પશ્ચિમ, (૪) ઉત્તર, (૫) ઊર્ધ્વ, (૬) અધો એમ છ પ્રકાર પણ કહી શકાય. (૧) પૂર્વ, (૨) અગ્નિ, (૩) દક્ષિણ, (૪) નૈઋત્ય, (૫) પશ્ચિમ, (૬) વાયવ્ય, (૭) ઉત્તર (2) ઈશાન, (૯) ઊર્ધ્વ અને (૧૦) અધો એ રીતે દસ દિશા પણ થઈ શકે અને વિસ્તારે અઢાર પ્રકારની દિશાઓ કહી છે. ૪ દિશા, ૪ વિદિશા ખૂણા) એ ૮ તથા ૮ આંતરા એ ૧૮ તથા ઊર્ધ્વ અને અધો મળી ૧૮ પ્રકારની દિશા છે. પરંતુ અહીં મુખ્યતાએ પ્રથમ કહી તે ત્રણ દિશા ગ્રહણ કરી છે. તેમાં ગમનાગમન કરવાની મર્યાદા ન હોવાથી જેવી રીતે બારી બારણા ખુલ્લા રાખવાથી ઘરમાં કચરો ભરાય છે તેવી રીતે દિશા પરિમાણ ન કરનારાને સમસ્ત જગતમાં થતાં પાપ કર્મોનો હિસ્સો આવે છે અને મર્યાદા | |૩૫ શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy