SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ અસંશી મનુષ્યની ઉત્પત્તિ થાય છે. બીજી વખતનાં સંભોગમાં તે બધાનો નાશ થઈ જાય છે. ગૃહસ્થોને માત્ર પુત્રપ્રાપ્તિને અર્થે જ સ્ત્રીસંગની આવશ્યકતા હોવી ઘટે. અધિક ભોગ ભોગવવાથી પુત્ર પ્રાપ્તિનો સંભવ પણ ઓછો રહે છે. વેશ્યાને અધિક સંતતિ થતી નથી તે પણ એજ કારણ જણાય છે. એટલા માટે શ્રાવકે મિતવ્યયી અને સંયમી રહેવું એ પરમ હિતાવહ છે. ચોથા વ્રતના ૫ અતિચાર (૧) ઇત્તરિય પરિગ્રહિયાગમણે : પોતાની પરણેલી નાની ઉંમરની સ્ત્રી સાથે ગમન કર્યું હોય. લગ્ન થઈ ગયા પછી પણ જ્યાં સુધી સ્ત્રી ઋતુમતી ન થાય ત્યાં સુધી તેની સાથે ગમન કરે તો અતિચાર લાગે. (૨) અપરિગ્રહિયાગમણે માત્ર સગપણ થયું હોય તેવી સ્ત્રી સાથે ગમન કરે તો અતિચાર લાગે. (૩) અનંગ ક્રીડા: પરસ્ત્રીને વિષયભાવથી આલિંગન કરે તો અતિચાર લાગે. (૪) પરવિવાહ કરણે : સ્વજન સિવાય અન્યના લગ્ન સંબંધ કરાવી આપે તો અતિચાર લાગે. ક્યારેક વિચારો ન મળે અને ક્લેશ થાય કજોડા થાય, નિસાસા લાગે અને ઉપરથી કરાવનારને અપયશ મળે. આ બાબતમાં જ્ઞાની પુરુષોએ ખૂબજ દીર્ઘ દૃષ્ટિનો ઉપયોગ કરી આ વાત કહી છે. (૫) કામભોગેસુ તિવાભિલાસા: કામભોગ સેવવાની તીવ્ર અભિલાષા કરે તો અતિચાર લાગે. શ્રોતેન્દ્રિય, ચક્ષુરીન્દ્રિયના વિષયોને “કામ” કહ્યા છે. ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિયના વિષયોને “ભોગ” કહ્યા છે. “ામ મોણ પસ્થમામામા હોવાડું ''કામભોગના પ્રાર્થી મનુષ્યો કામ ભોગનું સેવન કર્યા વિના જ મરીને નરકાદિ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. આવું જાણી શ્રાવક જન આ પાંચમાં અતિચારના દોષથી આત્માને બચાવી વિષય વૃદ્ધિના કાર્યથી અલગ રહે છે. વિષયોથી વિરમવા માટે ઉપવાસ, આયંબિલ આદિ તપ કરતો અલગ રહે છે. બ્રહ્મચારી સંત સતીઓના ગુણકીર્તન કરી તેમના ઉજ્જવળ ચારિત્રોનું પાઠન કરતો રહી વિશુદ્ધ ચારિત્રવાન બને છે. બ્રહ્મચર્ય પાલન કરનારની દેવો પણ સેવા કરે છે. વિશ્વમાં કીર્તિ વિસ્તરે છે. બુદ્ધિ, બળ અને તેની વૃદ્ધિ થાય છે. દુષ્ટો તરફથી થતાં મંત્ર, |૩૪૬ શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy