SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથું અણુવ્રત - ગૂલાઓ મેહુણાઓ વેરમણ સાધુની જેમ સર્વતઃ બ્રહ્મચર્ય વ્રત પાળવું તો ગૃહસ્થને માટે દુષ્કર છે. અન્ય ગતિની અપેક્ષાએ મનુષ્યગતિમાં મૈથુન સંજ્ઞાનો ઉદય અધિક હોય છે છે તત્ત્વની જાણ અને શૂર, વીર, ધીર એવો જ મનુષ્ય મોહરાજાના પ્રબળ આક્રમણ સામે ટકી શકે છે અને સર્વથા બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરે છે. તે પોતાના ઇષ્ટની અર્થ સિદ્ધિ-મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે. નવ નવ કોટીએ આવા અતિ દુષ્કર બ્રહ્મચર્યવ્રતનું પાલન તો સર્વસંગ પરિત્યાગી સાધુ મુનિરાજો જ કરી શકે શ્રાવકોથી તેમ એકાએક ન બને, તો પણ ધીમે ધીમે કર્મોનો સંગ છોડવા માટે પ્રથમ સ્થૂલ મૈથુન થી નિવર્તે છે. અર્થાત્ સ્વદારાથી સંતોષ રાખી શેષ મૈથુન સેવનનો પરિત્યાગ કરે છે. કારણકે પંચની સાક્ષીએ જેનું પાણિ ગ્રહણ કર્યું હોય એવી સ્ત્રીને પતિના આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાના વિચારથી ભારે આઘાત પહોંચે. કદાચ તે આપઘાત પણ કરી બેસે અથવા વ્યભિચારનું સેવન કરી કુળને કલંક લગાડે. આથી ભયભીત થયેલો શ્રાવક સ્વસ્ત્રીથી સંબંધ કરે છે, પણ વિષય લોલુપીપણાથી સ્ત્રીસંગ કરતો નથી કેમકે જિનવાણીનું પાન કર્યું હોવાથી તે સમજે છે કે વિષયાશક્તિ એ ચીકણાં કર્મ બાંધવાનું અને ભવ ભ્રમણનું કારણ છે. વિષયાસક્ત મનુષ્યની બુદ્ધિ મંદ પડે છે અને બળ ક્ષીણ થાય છે. જ્ઞાન દૃષ્ટિ વડે આ રૂક્ષવૃત્તિ ધારણ કરનારા શ્રાવકોને દઢ પ્રતીતિ હોય છે કે હજારોવર્ષ - કાયમ રહે એવા ભોગ હજારો દેવાંગનાઓથી સાથે આપણે અનંતીવાર ભોગવી આવ્યા છીએ તો પણ તૃપ્તિ થઈ નહિ. તો પછી મનુષ્ય સંબંધી અશુચિમય અને ક્ષણભંગુર ભોગથી તૃપ્તિ શી રીતે થાય? ભોગ ભોગવવાથી તૃપ્તિ કદાપિ થતી નથી, પરંતુ તેનો ત્યાગ કરવાથી જ સંતોષ થાય છે. આવા સુવિચારથી શ્રાવક સંતોષ ધારણ કરે છે અને પોતાની સ્ત્રીથી પણ દિવસે તેમજ બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ, | નરકમાં ભય સંજ્ઞા અધિક, તિર્યંચમાં આહાર સંજ્ઞા અધિક, દેવતામાં પરિગ્રહ સંજ્ઞા અધિક અને મનુષ્યમાં મૈથુન સંજ્ઞા અધિક હોય છે. • વૈમાનિક દેવોનો ૨000 વર્ષ પર્યત, જ્યોતિષી દેવોનો ૧૫૦૦ વર્ષ પયંત, ભવનપતિનો ૧૦૦૦ વર્ષ પર્યત અને વાણવ્યંતરનો ૫૦૦ વર્ષ પયંતનો સંયોગ રહે છે, (એમ ગ્રંથોમાં કહેલ છે) ૩૪૪ શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy