SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ અતિચાર જ લાગે. (૩) વિરૂદ્ધ રજાઇક્કમે : રાજ્ય વિરૂદ્ધ પ્રવૃત્તિ કરે તો અતિચાર લાગે. (૪) કુડ તોલે કુડમાણે : ખોટા તોલ કે ખોટા માપ રાખે તો અતિચાર લાગે, લેવાના એક અને આપવાના જુદા એવા બે ન રાખે. (૫) તપ્પડિરૂવગવવહારે : જે વસ્તુ હોય તેના જેવી જ હલકી વસ્તુ મેળવી આપે તો અતિચાર લાગે, ભેળસેળ કરી સારાભાવમાં વેંચે, સારો માલ બતાવી હલકો આપે આવી હલકી પ્રવૃત્તિ શ્રાવક ક્યારે પણ ન કરે. જૈનો ઘણાં જ દયાળુ અને સંતોષી હોય છે. આવી ધર્મપ્રભાવના કરવી એ શ્રાવકનું ખાસ કર્તવ્ય છે. આ ત્રીજા વ્રતનો આદર કરનારા સદેવ નિર્ભય રહે છે. તેના હૃદયમાં ભગવતી દયાનું નિવાસ સ્થાન હોય છે. તે વાત પ્રત્યાખ્યાન ના નિર્મળ પણે નિર્વાહ કરી શકે છે, અનેક વિઘ્નોથી પોતાના આત્માને બચાવે છે. સંતોષના પ્રતાપે આ ભવમાં સુખી રહે છે અને પરલોકમાં પણ સ્વર્ગ અને ક્રમથી મોક્ષના સુખને પ્રાપ્ત કરે છે. 5 શ્રી પ્રશ્નાવ્યાકરણ સૂત્રમાં ચોરની ૧૮ પ્રસુતિ કહી છે. (૧) ચોર ને કહે, હું તારી સાથે છું, કામ પડ્યે મદદ કરીશ (૨) ચોરની સુખસાતા પૂછે (૩) આંગળી ચીંધી ચોરીનું સ્થાન બતાવે (૪) પ્રથમ શાહુકાર બની રાજા શેઠ વગેરેના સ્થાને જોઈ આવે પછી તે સ્થાન ની માહિતી ચોરને આપે (૫) ચોરને સંતાવવાનું સ્થાન બતાવે (૬) ચોરને કોઈ પકડવા આવે ત્યારે તે પૂર્વમાં ગયો હોય તો પશ્ચિમમાં ગયો એમ વિપરીત બતાવે (૭) ચોર ને રહેવા મકાન, બેસવાને આસન, સૂવાને પથારી વગેરે આપે (૮) ચોર પડી જવાથી અથવા શસ્ત્રાદિ થી ઘાયલ થતાં તેને ઘેર પહોંચવા એશ્વાદિ વાહન આપે (૯) ચોરની ઘેર જવાની શક્તિ ન હોય તો પોતાના ઘરમાં છુપાવી રાખે (૧૦) ચોરનો માલ ખરીદે (૧૧) ચોરનો સત્કાર કરી ઊંચા આસને બેસાડે (૧૨) ઘરમાં ચોર હોય અને પકડવા આવે ત્યારે નથી એમ કહે (૧૩) ઘરે આવેલા ચોરને અન્ન વસ્ત્રાદિથી સાતા ઉપજાવે અને જતી વખતે ભાથું આપે (૧૪) ચોરને જે જે વખતે જે જે ચીજો જ્યાં જ્યાં જોઈએ તે તે વખતે તે તે ચીજો ત્યાં ત્યાં પહોચાડે (૧૫) થાકેલા ચોરને તેલાદિનું મરદન કરે, કરાવે, સ્નાન કરાવે, ગોળ, ફટકડી ખવડાવે, શેક કે મલમપટ્ટી કરે (૧૬) ચોરને ભોજન બનાવવા અગ્નિઆદિ સામગ્રી આપે (૧૭) ચોરી લાવેલ ધન, ધાન્ય, વસ્ત્રાભૂષણ, ગૌ, ઘોડા વગેરે પશુને પોતાના ઘરમાં સર્વ પ્રકારનો બંદોબસ્ત કરી રાખે (૧૮) ચોરને સર્વપ્રકારની સાતા ઉપજાવે. આ ૧૮ પ્રકારે ચોરને સહાય દેનાર પણ ચોર કહેવાય છે અને રાજ્યના કાનૂન પ્રમાણે તે ચોર સમાન શિક્ષાને પાત્ર છે. શ્રી જૈન તત્ત્વ સાર ૩૪૩ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy