SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ તો નીચે જણાવેલી ૪ પ્રકારની સ્થૂલ ચોરી કરવાના પચ્ચકખાણ તો દરેક શ્રાવકે અવશ્ય કરવા જોઈએ. (૧) ખાતરખણી : ધન પ્રાણીથી પણ અધિક વહાલું હોય છે ધન ગમે ત્યાં હોય ત્યાઁથી પણ ઉપાડી જવું. માલિકને જ્યારે ખબર પડે ત્યારે રડે, ખાય નહિ, આઘાત લાગી મૃત્યુ પણ પામે. આવું કરનાર પોતાને માટે દુર્ગતિના દ્વાર ખુલ્લા ને ખુલ્લા મૂકતો જાય છે. આ બધું જાણી શ્રાવક ચોરીનો ત્યાગ કરે. (૨) ગાંસડી છોડી સાચવવાને માટે કોઈ વિશ્વાસ રાખી ધન, સુવર્ણ અલંકારો મૂકી ગયું હોય તો તેમાંથી કાઢી લેવા. હલકો, ઓછી કિમતનો ભાર ભરી દેવો. જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં મૂકી દેવો. માલિકને જ્યારે ખબર પડે ત્યારે ખાવાનું ન ભાવે, વસ્તુના વિયોગનું દુઃખ થાય છે. વિશ્વાસઘાત રૂપ મહાપાપનો શ્રાવક પરિત્યાગ કરે છે. (૩) તાળું પર કૂંચીએ કરી : ઘર, કબાટ આદિ વિશ્વાસે સાચવવાં આપી ગયો હોય પણ લાલચે તાળું ખોલી અંદરથી માલ લઈ લેવો. જ્યારે માલિક જુએ છે ત્યારે ધ્રાસકો પડે છે, મૃત્યુ પણ પામે છે. આવા વિશ્વાસઘાત રૂપ અને ચોરીના કૃત્ય બંને ભવમાં ભયંકર દુઃખદાતા નીવડે છે. એવું જાણી શ્રાવક તેવા કર્મોનો પરિત્યાગ કરે. (૪) પડી વસ્તુ ધણીયાતી જાણી ગ્રહણ કરેઃ રસ્તામાંથી મળેલી વસ્તુ જોઈ ખુશ થવું, મોજ મઝા ઉડાવવા કામ આવશે, મઝા પડશે, આવું જાણી તે આકર્ષાય છે પણ અણહકનું દ્રવ્ય શ્રાવક કદાપિ પોતાનું કરીને રાખે નહિ. ઉક્ત ૪ પ્રકારની ચોરી કરનાર રાજથી દંડાય છે, લોકોમાં નિંદાય છે, મરીને દુર્ગતિમાં જાય છે અને અનેક દુઃખ પામે છે. ચોરી કરવી લૌકિક, લોકોત્તર બંનેથી વિરૂદ્ધ કૃત્ય છે. એવું જાણી શ્રાવક તેનો સર્વથા પરિત્યાગ કરે | ત્રીજ વ્રતના ૫ અતિચાર (૧) તેના હકે ચોરીનો માલ ખરીદે કે રાખે તો અતિચાર લાગે. (૨) તક્કરપ્પઓગે : ચોરને ચોરી કરવાની પ્રેરણા કરી ઉત્તેજન આપે તો ૩૪૨ શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy