SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) રહસાબભકખાણે : કોઈના રહસ્યની, છાની વાત કે છિદ્ર ઉઘાડે તો અતિચાર લાગે. છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર હોય છે. કોઈએ વિશ્વાસ રાખી પોતાની વાત કરી હોય તો શત્રુ બને, અહિત કરે, તો પણ રહસ્ય છતું ન કરવું. છતાં બોલાયું હોય, વિશ્વાસઘાત કર્યો હોય, શરમાવું પડે તેવી વાતો ખુલ્લી પાડી હોય જેનું પરિણામ સારું ન આવે એવા કાર્યો શ્રાવક ન કરે. શ્રાવક તો “સાગર વર ગંભીરા” સમુદ્ર જેવા ગંભીર બને. રહસ્ય પ્રગટ કરવાના ત્યાગી હોય તે જ સાચો શ્રાવક કહેવાય છે. (૩) સદારમંતભેએ : પોતાની સ્ત્રીના મર્મ ઉઘાડા પાડે તો અતિચાર લાગે. (૪) મોસોવસે મૃષા એટલે જૂઠો ઉપદેશ આપે તો અતિચાર લાગે. ધર્મના નામે હિંસાદિનો ઉપદેશ આપે, ગરીબોને અન્ન આપવામાં પાપ છે એવો ઉપદેશ આપે. દેશકથાદિ વિકથાનો ઉપદેશ આપે. આરંભ અને ક્લેશ ઉત્પન્ન થાય તેવો ઉપદેશ આપે, અસત્યનો ઉપદેશ આપવો એ શ્રાવકનું કામ નથી. પ્રમાણોપેત સત્ય a નિર્દોષ વચનોચ્ચાર કરી આત્માને પાપથી બચાવે તે જ શ્રાવક કહેવાય a શ્રાવકે ભાષાના ૮ ગુણ ધારણ કરવા જોઈએ. (૧) અવસરે થોડું બોલે, બહુ બોલ બોલ કરવાથી કિંમત ઘટે છે. (૨) થોડું બોલે તે પણ ઇષ્ટ, મિષ્ટ અને મનોજ્ઞ બોલે, કોઈને જરા પણ દુઃખ ઉપજે તેવું કે નિંદા યુક્ત ન બોલે. (૩) મિષ્ટ વચન બોલે અને તે પણ સમયોચિત બોલે રામ નામ સારું છે છતાં લગ્ન પ્રસંગે રામ બોલો ભાઈ રામ” એમ ન બોલાય. (૪) સમયોચિત બોલે અને તે પણ ચતુરાઈ સહિત બોલે, વાકચાતુર્યથી રાજા મહારાજા તેમજ મોટી પરિષદને મંત્ર મુગ્ધ બનાવી શકાય છે. (૫) ચતુરાઈથી બોલે અને તે પણ અભિમાન રહિત બોલે, પોતાની પ્રશંસા પોતે ન કરે તેમ કરવાથી લઘુતા થાય છે. પરંતુ અન્યના ગુણોને પ્રસિદ્ધિમાં લાવવાથી ગૌરવ વધે છે. (૬) અભિમાન રહિત બોલે અને તે પણ મર્મ ભેદક ન બોલે. માર્મિક વચનો બોલવાથી અન્યના દુર્ગુણ પ્રકાશવાથી ઘણાં અનિષ્ટ નિપજે છે. (૭) મર્મ ભેદક ન બોલે અને તે પણ શાસ્ત્રની સાક્ષીયુક્ત બોલે કારણ એવા વચનો સર્વમાન્ય થઈ શકે છે. (૮) શાસ્ત્રની સાક્ષીએ બોલે અને તે પણ સર્વ પ્રાણીઓને સાતાકારી બોલે. શાસ્ત્રમાં શેય (જાણવા યોગ્ય), હેય (છાંડવા યોગ્ય), ઉપાદેય (આદરવા યોગ્ય) એમ ત્રણ પ્રકારના કથન છે. તેથી કેટલાક શાસ્ત્રનાં કથન પણ અનધિકારી અજ્ઞજનોને દુઃખપ્રદ થઈ પડે છે, જેમકે જૂતા કિયા તમં તમે' આ પાઠનો અર્થ અક્ષર જોઈને જ કરી શકાય.) શ્રી જૈન તત્ત્વ સાર ૩૩૯ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy