SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ મિયાં ઘોર (કબર) જોગ થાય એ કહેવતને ચરિતાર્થ કરે છે. કજ્ઞાલિક શબ્દમાં વર +અલિક એટલે કે ઉપર પ્રમાણે વર સંબંધી પણ જાણી લેવું. શ્રાવકે આવી જાતના મૃષાવાદથી નિવર્તવું. (૨) ગોવાલિક: ગાય, ભેંસ આદિ ચાર પગવાળા પશુઓને વેચવા તથા લેવાનો પ્રસંગ પ્રાપ્ત થયો હોય. જે સુંદર ન હોય પણ બુદ્ધિથી સુંદર કહી તે સારા છે તેમ કહી વેપાર કરે છે. શ્રાવક જરા પણ અસત્ય ન બોલે. (૩) ભોમાલિક : જમીન સંબંધી મૃષાવાદ. જમીન બે પ્રકારની (૧) ખુલ્લી જમીન તે ખેતર, વાડી, બાગ, જંગલ, તળાવ વગેરે અને (૨) વળ્યુ : ઢાંકી જમીન તે ઘર હવેલી, દુકાન, વખાર વગેરે જમીન સંબંધી ખોટું બોલે. વસ્તુ હલકી હોય તેને સારી કહી બતાવે. વાડીમાં ઉત્પાદન થોડું હોય તો વધારે કહી બતાવે. તળાવ આદિનું બતાવે. આ ઉક્ત પ્રકારનું જૂઠ બોલે તે અનર્થનું કારણ છે. માટે શ્રાવક હંમેશા સત્ય બોલે. (૪) થાપણમોસો : કોઈની થાપણ ઓળવવા જૂઠું કહેવું તે થાપણમોસો. કોઈએ થાપણ મૂકી હોય તે લાલચે લઈ લેવી, આવે ત્યારે ફજેતી કરી, અપમાન કરવું કલંક લગાડી સામેવાળાને ખોટો પાડવો. વિશ્વાસઘાત કરવો. આવા સમયે વિચારે અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ક્યારે પણ સુખ આપતું નથી. ટતું પણ નથી, આગામી ભવમાં વિધવાપણું, વાંજિયાપણું, દરિદ્રપણું પામે છે. નરક તિર્યંચ ગતિના ઘોર દુઃખ પામે છે. આવા અનર્થનું કારણ મૃષાવાદને જાણી શ્રાવકોએ એવા હરામના ધનની સ્વપ્નમાં પણ ઇચ્છા ન કરવી. (૫) કૂડી સાક્ષી પોતાના લાભ માટે ખોટી સાક્ષી આપે, સાચાને ખોટો ઠરાવે, ન્યાયીને અન્યાયી અને અન્યાયીને ન્યાય ઠરાવે, નિર્દોષ માણસ માર્યો જાય. આપધાત કરે. આ કૂડી સાક્ષી રૂપ મૃષાવાદનું મહાપાપનું કારણ છે. સત્યમેવ જયતે ' અંતે સત્યનો જ જય છે. જ્યારે સત્યનો વિજય થાય, ભોપાડું કોઈ ફોડી નાખે, રાજદંડ થાય, કોઈ વિશ્વાસ રાખે નહિ, માટે શ્રાવકે કદાપિ ખોટી સાક્ષી આપવી નહિ.' ઉપરના પાંચે પહેલા વ્રતની જેમ બે કરણ અને ત્રણ યોગે કરે છે. અનુમોદન ખુલ્લું છે છતાં એમાંથી પણ બચવાનો પ્રયત્ન કરે. બીજા વ્રતના ૫ અતિચાર (૧) સહસાભખાણે : કોઈને ધ્રાસકો પડે તેવું બોલવું નહિ, વગર વિચાર્યું બોલવું નહિ. મશ્કરી, હાસ્યમાં પણ ધ્રાસ્કો પડે તેવું બોલવું નહિ. શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy