SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા વ્રતના ૫ અતિચાર (૧) બંધે : કોઈ જીવને ગાઢ બંધનમાં બાંધે તો અતિચાર 2 માત્ર જનાવર જ નહિ પણ પરિવારજનો, નોકર, જનાવર વગેરેને બંધનમાં બાંધવાથી અતિચાર લાગે. એ તરફડે છે, ગભરાય છે કોઈ મૃત્યુ પણ પામે, પંચેન્દ્રિયની હિંસાનું પાપ લાગે. આવા દયાહીન કૃત્ય શ્રાવક કરે નહિ. (૨) વહે : કોઈને પણ મારે, પ્રહાર કરે તો અતિચાર લાગે. જનાવરોને સીધી રીતે ન ચાલે તો મારે, આર ભોંકે. શ્રાવક આવા દયાહીન કૃત્ય ન કરે. મર્મ સ્થાન આદિ પર પ્રહાર ન કરે. જેનાથી મૃત્યુ થઈ જાય. (૩) છવિચ્છેએ : અંગ ઉપાંગનું છેદન કરે તો અતિચાર લાગે. (૪) અઇભારે : મનુષ્ય, પશુ પાસે ગજા ઉપરાંતનો અતિભાર ઉપડાવે, ખેંચાવે તો અતિચાર લાગે. (૫) ભન્ન પાણવોચ્છેએ ઃ વધુ કામ કરાવવાની લાલસામાં આહાર પાણીમાં અંતરાય પાડે, વિયોગ પડાવે, ભૂખ્યા તરસ્યા રાખે, કામ ઘણું કરાવી પૂરું ખાવાનું ન આપે તો અતિચાર લાગે. બીજું અણુવ્રત - સ્થૂલ મૃષાવાદ વેરમાં સાધુની પેઠે સર્વથા મૃષાવાદથી નિવૃત થવું એ ગૃહસ્થને માટે મુશ્કેલ છે. કેમકે ગૃહસ્થથી સહજમાં બોલાઈ જાય છે કે, ઊઠ! ઊઠ! પહોર દિ’ ચડી ગયો, અને દિવસ તો એક ઘડી પણ ચડ્યો ન હોય ઇત્યાદિ અનેક પ્રકારનાં નાનાં નાનાં જૂઠ વચન સહેજે બોલાઈ જાય. સ્થૂલ મૃષાવાદ પાંચ પ્રકારનાં કહ્યા છે તેનો ત્યાગ કરવો. (૧) કન્નાલિક : કન્યા સંબંધી મૃષાવાદ. પોતાની કન્યાને શ્રીમંતને ઘરે આપવા માટે ઉંમર, ખોડ, અભ્યાસ વગેરેમાં ખોટું બોલે, ૧૨-૧૫ વર્ષની કન્યાને ૬૦ વર્ષના બુટ્ટા સાથે પૈસાની લાલચમાં પરણાવે. બીબી ઘર જોગ થાય ત્યારે a (૧) જેમ કોઈને અમુક વસ્તુના પ્રત્યાખ્યાન હોય છતાં તે વસ્તુ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે તે અતિક્રમ, (૨) તે વસ્તુની પાસે જાય તે વ્યતિક્રમ, (૩) તેને ગ્રહણ કરી લે તે અતિચાર અને (૪) તે વસ્તુ ભોગવે તો અનાચાર. અતિક્રમનું પાપ પશ્ચાત્તાપ કરવાથી, વ્યતિક્રમનું પાપ આલોચનાથી, અતિાચારનું પાપ પ્રાયશ્ચિથી અને અનાચારનું પાપ મૂળ વ્રતોચ્ચા૨ ક૨વાથી પ્રાયશ્ચિત થાય. આ ચાર પ્રકારના ઉપાયથી તે પાપ દૂર થાય છે. આ ચાર પ્રકારનાં પાપમાંથી અતિચાર એ ત્રીજા પ્રકારનું પાપ જાણવું. શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only 330 www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy