SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) કરીયાણાનો, મીઠાઈનો, જિનનો વગેરે વ્યાપારમાં વિશેષ કરીને ત્રસજીવોની ઘાત થાય છે. (૧૩) દૂધ, દહીં આદિના વાસણો તેમજ બીજા વાસણો ખુલ્લા રાખવાથી ત્રસજીવોની હિંસા થાય છે. (૧૪) મકાઈના ડોડા શેકવાથી, ઘઉં, બાજરો, જુવારનો પોંક પાડવાથી, તેવી બીજી પણ વસ્તુ શેકવાથી ત્રસ જીવોની હિંસા થાય છે. (૧૫) ગાય, ભેંસના સ્થાનમાં ધ્રેવાડી કરવાથી ત્રસજીવોની હિંસા થાય છે. (૧૬) કઠણ પગરખા પહેરવાથી પગ નીચે ઘણા ત્રસજીવો ચગદાઈ મરે છે. આ તેમજ આવા બીજા પ્રકારના કામો શ્રાવક વિવેક બુદ્ધિથી વિચાર કરી ત્યાગ કરે. એ રીતે પ્રથમ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત પાળી સાચો શ્રાવક બને. સ્થાવર જીવો : (૧) પૃથ્વીકાય : ખેતીવાડી નિમિત્તે, વ્યાપાર નિમિત્તે, મકાન માટે વગેરેથી પૃથ્વીકાયની હિંસાથી નિવર્તવા યથાશક્તિ પ્રયત્ન કરે. કારણ વિના પૃથ્વીકાયના જીવોની હિંસા કરે નહિ. (૨) અપ્કાય : નદી, કૂવા, તળાવ આદિમાં પડી સ્નાન કરવાથી સ્થાવર તથા ત્રસની હિંસા થાય છે. પાણી ખરાબ થાય છે. પાણીના એક ટીપામાં ભગવાને અસંખ્યાતા જીવો બતાવ્યા છે. (૩) તેઉકાય : અગ્નિ આદિનો દુરૂપયોગ કરવો, દિવાળી સમયે ફટાકડા ફોડવા. એક જ અગ્નિના તણખાથી ભયંકર આગ પણ લાગે છે. ત્રસજીવોની હિંસા થાય છે. ક્યારેક સળગી પણ જવાય છે. વ્યસન થવાથી અગ્નિકાયનો આરંભ સમારંભ પણ કરવો પડે છે. તેથી બચવાનો પ્રયત્ન કરે. (૪) વાયુકાય : પંખાથી, હિંડોળાથી, વાજિંત્રથી, ફૂંકવાથી, ઉઘાડે મુખે બોલવાથી ઘાત થાય છે. શક્ય એટલા બચવાના પ્રયત્નો કરે. વાયુકાયની રક્ષા થવી બહુ દુષ્કર છે. (૫) વનસ્પતિકાય : સંખ્યાતા, અસંખ્યાતા, અનંતાજીવોની જતના કરે, કંદમૂળ આદિનો ત્યાગ કરે. સ્વાદ માટે નહિ પણ સાધના માટે ખાવાનું છે આમ • વિચારી બને તેટલા જીવોની દયા પાળે. |૩૩૬ Jain Education International શ્રાવક ધર્મ અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy