SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ધરતીની ફાટમાં, દરમાં કે છોતરાં ઉપર અશુચિ આદિ કરવા નહિ તેમાં રહેલાં ત્રસજીવોની હિંસા થાય છે. (૫) જોયા વિનાનું કાર્ય ક૨વાથી જીવોની ઘાત થાય છે. (૬) દિવાળી આદિ પર્વમાં ઘરની સફાઈ કરતા ત્રસજીવોની હિંસા થાય છે. (૭) ખાદ્ય પદાર્થો ઘણા દિવસથી પડયા હોય તેને જોયા વિના ખાવાથી હિંસા થાય છે. (૮) ચૂલો, ઘંટી, લોટ, દાળ, મસાલા, વાસણ આદિ જોયા વિના કામમાં લેવાથી ત્રસજીવોની ઘાત થાય છે. (૯) ચોમાસાના દિવસોમાં જમીન ઉપર પણ છાણાં, લાકડાં માટીના વાસણ આદિમાં કંથવાદિ જંતુઓની ઉત્પત્તિ થઈ જાય છે તેને પોંજણીથી પોંજ્યા વિના ઉપયોગમાં લેવાથી ત્રસજીવોની ઘાત થાય છે. (૧૦) ચૂલા, ઘંટી પર ચંદરવા ન બાંધવાથી છાપરામાં ચાલતાં જીવો પડી મૃત્યુ પામે છે. (૧૧) અણગળ (ગાળ્યા વિનાનું) પાણી વાપરવાથી કે જતના ન કરવાથી જીવોની ઘાત • થાય છે. ● सूक्ष्मानि जंतूनि जलाश्रयानि, जलस्य वर्णाकृतिसंस्थितानि । तस्माज्जल जीवदयानिमित्तं निर्ग्रथशूराः परिवर्जयन्ति ॥ અર્થ : ભાગવતપુરાણમાં કહ્યું છે કે, પાણીના જેવા જ રંગવાળા અનેક સૂક્ષ્મજીવો પાણીમાં રહે છે, તેથી નિગ્રંથશ્રોએ - મુનિઓએ જીવદયા નિમિત્તે સચેત (કાચુ) પાણી તથા અણગળ પાણી વાપરવું કે પીવું નહિ. विशत्यंगुलमानंतु त्रिशदंगुलमायतं । तद्धयस्त्रं द्विगुणीकृत्य, गालयेज्जलमापिबन् ॥ तस्मिन् वस्त्रे स्थितान् जीवान् स्तापयेज्जलमध्ये तु । एवं कृत्वा पिबेज्जलं, स यति परमां गति ॥ . અર્થ : ૨૦ આંગળ પહોળું અને ૩૦ આંગળનું લાંબુ એવું વસ્ત્ર બેવડું કરીને તેના વડે ગળાયેલું પાણી પીવું, પાણી ગાળતાં ગળણામાં રહી ગયેલા જીવોને જે ઠેકાણેથી પાણી ભરી લાવ્યા હોઈએ તે જ પાણીમાં પાછા નાખી દેવા. આ વિધિ સાચવી પાણી પીનારા પરમગતિને પામે છે, આમ મહાભારતમાં કહ્યું છે. શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only ૩૩૫ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy